SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] દીર્ધદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભકત શ્રેષ્ટિવર્ય ૧૯૫૮નું ચોમાસું પૂરું થયું. ઝવેરી છેટાલાલ લલ્લુભાઈએ ધરી પાળતે શ્રીસિદ્ધગિરિજી તીર્થને સંઘ કાઢવ્યો. લગભગ બે હજાર ભાવિકે એમાં જોડાયા. પૂ. પંન્યાસજી મ. તથા આપણા ચરિત્રનાયકશ્રીની નિશ્રામાં સંઘ નીકળે. સાણંદ, વિરમગામ, વઢવાણ, લીંબડી વગેરે ગામો પસાર કરતો એ સંઘ અનુક્રમે શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની પવિત્ર છાયા-તળે પાલિતાણા આવી પહોંચે. અહીં સકલસંઘે ભાવોલ્લાસપૂર્વક દાદાની યાત્રા કરી. અને શ્રી છોટાભાઈએ પૂ. ગુરૂદેવના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી. પાલિતાણાથી પૂ. ગુરૂદેવે ભાવનગર પધાર્યા. અહીં અષાડ સુદ ૧૦ના દિવસે મહુવાના શા. કમળશીભાઈના સુપુત્ર શેઠ કસળચંદ કમળશીના લઘુબંધુ) શ્રીસુંદરજીભાઈ નામના ૧૬ વર્ષના કિશોરને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રીદર્શનવિજ્યજી રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. બીજા એક વૈષ્ણવ ગૃહસ્થને પણ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રતાપવિજ્યજી મ. રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા. ૧૫૯નું આ ચોમાસું પૂજ્યશ્રીએ પૂ. પંન્યાસજી મ. ની સાથે ભાવનગર કર્યું. આ ચોમાસામાં પૂ. પંન્યાસજી મહારાજે તેઓશ્રીને શ્રીભગવતીજી સૂત્રના મોટા મેગમાં પ્રવેશ કરાવ્યા. પૂજ્યશ્રીની દૂરંદેશી તથા દીર્ઘદ્રષ્ટિ પ્રશંસનીય હતી. તેઓશ્રી સંપૂર્ણ નીડર હોવા છતાંય ચેતતા નર સદા સુખી” એ સૂત્રમાં માનનારા હતા. આ ચોમાસા પૂર્વે પિતાની નૈસર્ગિક નિરીક્ષણ અને અનુમાન શક્તિથી કેટલાંક ચિહુને જોઈને તેઓશ્રીને લાગ્યું કેભાવનગરમાં પ્લેગને (Plage) ઉપદ્રવ થવાનો સંભવ છે. - તેઓશ્રીએ પૂ. પંન્યાસજી મ.ને વિનંતિ કરી કે સાહેબ! અહીં પ્લેગના ઉપદ્રવને સંભવ છે, એમ મને લાગે છે. માટે આપની ઈચ્છા હોય તે આપણે અન્યત્ર જઈએ. પણ પૂ. પંન્યાસજી મહારાજે કહ્યું કે કાંઈ વાંધો નહીં આવે. તમે તે બહુ બીકણુ જણાવ છે. અવસરે જોયું જશે. ચોમાસું બેઠું. શ્રાવણના સરવરિયા શરૂ થયા.ને શહેરમાં પ્લેગના ચિહ્નો જણાવા માંડ્યા. કઈ-કઈ માણસ પ્લેગને ભેગ પણ થવા લાગ્યો. પર્યુષણ પર્વ બાદ તે એણે ઉગ્ર-સ્વરૂપ ધારણ કર્યું. વાયુવેગે શહેરમાં એ ફેલાવા લાગ્યો. લોકે આજુ-બાજુના ગામમાં વિખરાવા લાગ્યા. આમ આપણે પૂજ્યશ્રીનું અનુમાન સત્ય નીવડયું. નિરૂપાયે પૂ. પંન્યાસજી મ. આદિ સાધુ સમુદાયે પણ ત્યાંથી વિહાર કર્યો, અને નજીકના ૩ ગાઉના અંતરે આવેલા વરતેજ ગામે પધાર્યા. શાસ્ત્રીય મર્યાદા એવી છે કે ચોમાસામાં સવા જન સુધી જવાય. પણ આ ગામ તે ભાવનગરથી સવા જન કરતાં નજીક હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy