SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ જીવન ! સર્વ જીવો પ્રત્યેના આત્મીયભાવથી ભરપૂર જીવન અખંડ આત્મતિમય જીવન ! ત્રિજગપતિની આજ્ઞા સાથે અભેદ સાધનારૂં જીવન ! સિંહને વિશેષણે લગાડવાથી તેની વિશેષતા ભાગ્યે જ છતી થાય છે તેમ આ પુરુષસિંહને આપણે ભક્તિવશાત્ વિશેષ લગાડીએ તે સ્વાભાવિક છે, પણ “સૂરિસમ્રાટ' શબ્દ જ તેઓશ્રીની સમગ્ર વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે પર્યાપ્ત છે. આવા પ્રાતઃસ્મરણીય વિશ્વપુરુષને ત્રિવિધ વંદનાપૂર્વક જણાવવાનું કે આ ગ્રન્થમાં આપ એક વાર પણ ડોકિયું કરશો તો પૌગલિક સુખ તરફ ડોક નમાવવાની ક્ષુદ્રતા, પરતંત્રતા, જડતા જરૂર આપને ડંખશે. રાજ સાહેબ તેમજ સાહિત્યને પણ મારાં એ સદભાગ્ય કે મને પ. પૂ. પ્રવર્તક મુનિ શ્રી નિરંજન. વિજયજી મહારાજ સાહેબ મળ્યા અને તેઓશ્રીએ મને પ્રખ્ય લખવા માટે જરૂરી પ્રેરણું, માર્ગદર્શન તેમજ સાહિત્ય પુરા પાડવા, એટલે જ શાસ્ત્રો કહે છે કે સાધુ પુરુષને એક ક્ષણને પણ. સંગ, નિયમ આત્મકલ્યાણકારી છે. આવા સત્સંગના ઉદ્દેશથી પણ આપ સૌ અવશ્ય આ ગ્રન્થનું પડખું સેવશે તે સેવ્ય આત્મા અને પરમાત્માની સાચી સેવા માટે જરૂરી યોગ્યતા આપના જીવનમાં પણ પ્રગટશે. આ ગ્રન્થમાં સારું જે કાંઈ છે, તે બધું આ જિનશાસન અને શાસનપતિનું છે એવા એકરાર સાથે વિરમું છું. વિશાખ સુદ ૬ વિ સં. ૨૦૪૨ તા. ૧૫-૫-૮૬ સંસેવક મફતલાલ સંઘવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy