SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ નના કિરણ ઓગણચાલીસમું... મારવાડ અને મેવાડ તરફનો વિહાર અમદાવાદમાં અનેકાનેક શાસન શોભાના સ્થાયી ર્યો કરીને ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂજ્યશ્રીની ભાવના મારવાડ અને મેવાડ પ્રદેશ તરફ વિચરવાની થઈ. વિશાળ પરિવાર સાથે શુભ મુહૂતે પ્રયાણ કર્યું. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈને અત્યંત આગ્રહ હોવાથી તેમના બંગલે-શાહીબાગમાં વિહાર કરી પધાર્યા. ત્યાંથી સાબરમતિ-ખોરજ થઈને શ્રી જમનાદાસ હીરાચંદ ઘેબરીયાના શ્રી સંઘ સાથે શેરીસા પધાર્યા. શેરીસામાં શ્રી સંઘ સાથે ૩-૪ દિવસ સ્થિરતા કરી. આ અરસામાં પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસ શ્રી સુમતિવિજયજી મહારાજ તલાજા બિરાજતા હતા. તેઓશ્રીએ અમદાવાદ નિવાસી ૧૫ વર્ષની વયના યુવકને વિ. સં. ૧૯૭૧ના માગસર વદ ૪ના દિવસે દિક્ષા આપી તેમનું નામ મુનિશ્રી, પદ્મવિજયજી મ. રાખીને પૂજ્યશ્રીના શિષ્ય બનાવ્યા હતા. આ શિષ્ય પૂજ્યશ્રીના ૧પમાં શિષ્ય હતા. ૩૮૫ Jain Education International For Privafe & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy