SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ તાર કરીને પૂજ્યશ્રીના આરોગ્યના સમાચાર કલાકેકલાકે મોકલવા જણાવ્યું અનેક તાર કરવા છતાં ગુરૂભકત મનસુખભાઈનું દિલ ઊંચું રહેવા લાગ્યું મન ઠરીને ઠામ ન થયું બેચેની વધવા માંડી. આ બાજુ પૂજ્યશ્રીને તાવ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી શેઠને સમાચાર પણ શું આપવા ? એ પ્રશ્ન થઈ પડ ! એક દિવસ રાતમાં ૮૦ જેટલા તાર પૂજ્ય શ્રીની તબીયતના સમાચાર પૂછવાના તાર આવ્યા. તાર માસ્તર પણ નવાઈ પામી ગયા કે આ મહારાજ સાહેબ છે કોણ? કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર એક શેઠના આવે છે ? એ તે નવાઈ જ પામી ગયે. એ અરસામાં તેમના એકના એક પુત્ર શ્રી માણેકલાલભાઈ (માકુભાઈ) પણ માંદગીમાં પટકાયા. હતા. ડો. શ્રી જમનાદાસની સતત સારવારથી તેમની તબીયત છેડા દિવસમાં કંઈક સુધારા ઉપર આવી એટલે શેઠે ડેાકટરને કહ્યું: “તમે આજે જ વરતેજ જાવ અને પૂજ્ય ગુરૂ - મહારાજની તબીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ કાજે.” ડોકટરે કહ્યું : “શેઠ સાહેબ! માણેકભાઈની સારવાર છોડીને ત્યાં જવાનું મને ઠીક લાગતું નથી.” ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy