SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ rn nt l] ]] Hillf dj s પ્લાન મુળન વા [ લેખક શાંત પ્રકૃતિવાળા ઇતિહાસરસિક મુનિ છે, શ્રી વિજયધસૂરિના શિષ્ય છે અને તેમણે આબૂ તીર્થ સંબંધી ગૂજરાતીમાં અને હિન્દીમાં પુસ્તક લખેલ છે તેમાં ઘણી માહિતી આપી છે. તેના શિલાલેખા તથા મૂળ ઐતિહાસિક પ્રમાણાનું બીજું પુસ્તક ‘અર્બુદ પ્રાચીન લેખસ’દેાહ' છપાય છે. ઐતિહાસિક સાધોમાં વહીવ’ચાએ જે કુળવંશાવળી રાખતા આવ્યા છે તે પણ કેટલીક પ્રાચીન બાબતેા પૂરી પાડનાર હોઇ એક ઐતિહાસિક સાધન છે, તે વાત પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી પાસેથી પ્રાંત થયેલ એક વશાવળી આપી, તેના સારાંશ સાથે ફ્રેંક વિવેચન કરી લેખકે સિદ્ધ કરી છે—સંપાદક. ] આ વંશાવળી, કાઇ વહીવંચા( કુળગુરુ-કળગર )ની કઇ પ્રાચીન વહી ઉપરથી સંગૃહીત કરવામાં આવી હાય તેમ જણાય છે. જેમ શિલાલેખે, તામ્રપત્રા, સિક્કાઓ, પ્રાચીન ઐતિહાસિક ગ્રંથા અને ભાટ-ચારણાની કવિતાઓ વિગેરે ઇતિહાસનાં સાધને છે તેમ વહીવંચાઓની પ્રાચીન વહીએ પણ એક ખરેખરું ઇતિહાસનું સાધન છે. ભાટચારણ વિગેરે કવિએ અને ગ્રંથકારા કરતાં પણ આવી વંશાવળીએમાંથી જે ઇતિહાસ મળે તે ભલે થાડા હાય, પરંતુ તે વિશેષ વિશ્વાસપાત્ર માની શકાય; કારણ કે ભાટ-ચારણુ કે કવિએ જેના ઉપર સંતુષ્ટ હાય અથવા તેએ જેના આશ્રિત હાય તેની પ્રશંસા કરતા કરતા એટલા આગળ વધી જાય છે કે તેની મર્યાદા પણ રહેતી નથી; જ્યારે વહીવંચાએનુ તા માત્ર તેમના યજમાનેાની વંશપરપરામાં થતાં આવતાં માણસાનાં નામે જ લખીને સાચવી રાખવાનું કામ હોવાથી તેમજ લેખક-કળગર અને યજમાન કે જેના સંબધી હકીકત લખાઇ હાય છે તે મને લગભગ સમકાલીન જ હાવાથી આવી વહીએમાંથી છૂટાછવાયેા મળી આવતા ઇતિહાસ બિલકુલ સાચા હેાવાનું માની શકાય તેમ છે. વળી લેખક કે વાચકના દોષને બાદ કરતાં આવી વહીએની અંદર લખેલા સવતા કે મિતિએ પણ લગભગ ખરાખર સાચા હોય છે, કારણ કે તે બધું તે તે કાળમાં થયેલા વહીવંચાઓએ પ્રાય: પાતાની હયાતીમાં જ દેખેલુ કે થયેલુ હાય તે પ્રમાણે લખેલુ હોય છે. ગ્રંથકારો કે કવિઓની જેમ ઘણાં વર્ષો પહેલાં થઇ ગયેલી વાતાને વહીમાં લખવાના પ્રસંગ શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only * ૨૦૩ * www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy