SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ jitendી 4 ginedજીનો सत्यशी [ આ પત્ર તા. ૩૦-૧૦-૩૫ ના એક જૈન સંસ્થાના આગેવાન સભ્યના પત્રના ઉત્તરરૂપે લખાયેલો અને લેખકના લખવા પ્રમાણે એમાંનો અમુક ભાગ એ છે કે જે પ્રસ્તુત (તેમના “વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ’ નામના આ ગ્રંથમાં પ્રકટ થયેલ) લેખના અંતમાં પૂરવણીરૂપે આપી શકાય. આ તે પ્રાસંગિક, બાકી એ આખો પત્ર એ મુદ્દાસર છે કે તેમાંની વૈયક્તિક બાબતે કે નામ છોડી તે આખો છપાવવા જેવું છે. અમે તે લેખની અંતે આ મૂકવા તૈયાર હતા પરંતુ ઉક્ત લેખ છપાયો ત્યારે આ પત્ર ન મેળવી શકાયો તેથી તે જુદો આપવો પડ્યો છે. તેમાંથી વ્યક્તિગત વાત અને નામ કાઢી નાંખેલ છે. આમાં સ્પષ્ટ બતાવેલ છે કે જેનત્વની ખરી પ્રકૃતિ, તેમાં સર્વ જાતની ચર્ચા-મતભેદોને સ્થાન, મૂળગત અને ઉત્તરગત પ્રશ્નોની મીમાંસા, સમય જતાં સંજોગ-સ્થિતિ બદલાતાં મૂળગત મનાતા પ્રશ્રને મૂળગત રહેતા નથી, બુદ્ધિના પ્રશ્નોની ચર્ચા સંકુચિત ભૂમિકામાં રખાવી ન ઘટે, જૈનત્વની પ્રકૃતિની મૂળગત વસ્તુઓ બે નામે અહિંસા અને અનેકાંતનો સિદ્ધાંત છે, તેથી અન્ય વસ્તુઓને રાખવા જતાં જૈનત્વ સંકુચિત થશે અને બુદ્ધિમાનને સ્થાન નહિ રહે; અને છેવટે ઉપર્યુક્ત લેખના વિષયની પૂરવણીરૂપે જુદી જ દલીલથી એ જ સિદ્ધ કર્યું છે કે વેતાંબર પરંપરામાં જે ઉદારતા પોષાઈ છે તેવી અન્ય-દિગંબર અને સ્થાનકવાસીપરંપરાઓમાં પોષાઈ કે પોષાતી દેખાઈ નથી, તેથી તે ઉદારતાવડે ‘વેતાંબર૫રં૫રાએ જૈનત્વ પ્રકૃતિનો પરિચય કરાવ્યો છે. અમે આ આખા પત્રને અક્ષરશઃ મળતા છીએ-સંપાદક, ]. – xxx મારી ઈચ્છા હતી અને તે પ્રમાણે મેં એક વિસ્તૃત જવાબ લખવાને ઉપક્રમ પણ કરેલું જેમાં જેનપરંપરા અને ઇતિહાસ તથા તાત્વિક પ્રમાણ હોય, છતાં આવી પડેલ બીજી પરિસ્થિતિ અને તેને કાર્યભાર જોતાં આજે એમ લાગ્યું કે બધું જ રહી જશે તેથી ટૂંકમાં માત્ર અભિપ્રાય પૂરતો જવાબ લખું છું. તમે લખો છો-“આપ વિદ્યાલયમાં પ્રબ રસ લે છે, તે તે પ્રશ્ન પરત્વે આપને અભિપ્રાય છે તે કર્તવ્ય-સૂચવનને અંગે ગ્ય લાગે તો લખી જણાવશે.”—તેમ સાચે જ હું વિદ્યાલયમાં રસ લઉં છું. જ્યાં લગી એની સામાન્ય નીતિ અને પ્રવૃત્તિ ઉદાર તેમ જ વિશિષ્ટ છે ત્યાં લગી ગમે તેટલે દૂર અને તટસ્થ રહ્યા છતાં મારો એના પ્રત્યે પૂર્ણ આદર અને રસ રહેવાનો. હું ચોક્કસ પ્રથમથી જ માનું છું કે જેને સમાજને શિક્ષણ-સંસ્થાઓની * ૧૮૪ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy