SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપર પરાનું અખંડ પ્રતિનિધિત્વ કરતાં એ તો સ્પષ્ટ દવા જેવું દેખાય છે કે મુનિર્વસ્ત્રાચાર સંબંધી સચેલ અને અચેલ બને ધર્મોમાંથી ભગવાન મહાવીર કે તેમના જેવા ઈતર મુનિઓના સમગ્ર જીવનમાં અગર તો તેમના જીવનના મહત્વના ભાગમાં અચેલ ધર્મનું સ્થાન હતું. આ દષ્ટિએ નગ્નત્વ કે અચેલ ધર્મ જે દિગંબર પરંપરાને મુખ્ય અંશ છે તે સાચે જ ભગવાન વીરના જીવનને અને તેમની પરંપરાનો પણ એક ઉપાદેય અંશ છે; પરંતુ પિતાના આધ્યાત્મિક સાધના-ક્ષેત્રમાં દરેક ઓછું-વધતું બળ ધરાવતા યથાર્થ સાધકને સમાવેશવાની વીરની ઉદાર દષ્ટિ અગર વ્યવહારુ અનેકાંતદષ્ટિને વિચાર કરીએ તો આપણને એ સ્પષ્ટ સમજાશે કે એ મહાવીર સર્વસાધક અધિકારી વાસ્તે એકાન્તિક નગ્નત્વને આગ્રહ રાખી ધર્મશાસનનો લેકગ્રાહ્ય પ્રચાર ઈચ્છી કે કરી ન જ શકે. તેમનું પોતાનું આધ્યાત્મિક બળ ને આદર્શ ગમે તેટલા પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય છતાં તેમને જે પોતાનું ધર્મશાસન પ્રચારવું કે ચિરજીવિત રાખવું ઇષ્ટ હોય તો તેમણે પોતાની જાત પરત્વે ઉચ્ચતમ આદર્શ ને વ્યવહાર રાખીને પણ સહગામી કે અનુગામી બીજા સાધકે વાસ્તે (જે મૂળગુણમાં કે મૂલાચારમાં એકયમત્ય હોય તો) વસ્ત્ર, પાત્ર આદિ સ્થલ વસ્તુઓ વિષે મર્યાદિત છૂટ મૂકે જ છૂટકો; અગર મધ્યમ–માર્ગ નિયમન રાખે જ છૂટકે. મનુષ્ય સ્વભાવના, અનેકાન્તદષ્ટિના અને ધર્મપંથ–સમન્વયના અભ્યાસી વાતે એ તત્ત્વ સમજવું સહેલું છે. જે આ દષ્ટિ ઠીક હોય તો આપણે એમ કહી શકીએ કે ભગવાન વીરે પોતાના ધર્મશાસનમાં અચેલ ધર્મને પ્રથમ સ્થાન આપીને પણ સાથોસાથ સચેલ ધર્મને મર્યાદિત સ્થાન આપેલું. દિગંબર પરંપરા જ્યારે ખરા મુનિની શરત તરીકે નગ્નત્વનો એકાન્તિક દાવો કરે છે ત્યારે તે વીરના શાસનના એક અંશને અતિ આદર કરવા જતાં બીજા સચેલ ધર્મના અંશને અવગણી અનેકાંતદષ્ટિનો વ્યાઘાત કરે છે. તેથી ઊલટું વેતાંબર કે સ્થાનકવાસી પરંપરા સચેલ ધર્મમાં માનવા છતાં, તેનું સમર્થન અને અનુસરણ કરવા છતાં અચેલા ધર્મની અવગણના, અનાદર કે ઉપેક્ષા કરતી નથી; બલકે તે બન્ને પરંપરાઓ દિગંબરત્વના પ્રાણરૂપ અચેલ ધર્મનું પ્રધાનપણું સ્વીકારીને જ અધિકારી વિશેષ પરત્વે સચેલ ધર્મની પણ અગત્યતા જુએ અને સ્થાપે છે. આ ઉપરથી આપણે ત્રણે ફિરકાઓની દષ્ટિ તપાસીશું તે સ્પષ્ટ જણાશે કે વસ્ત્રાચારની બાબતમાં દિગંબર પરંપરા અનેકાંતદષ્ટિ સાચવી શકી નથી જ્યારે બાકીની બે પરંપરાઓએ વિચારણામાં પણ વસ્ત્રાચાર પરત્વે અનેકાંતદષ્ટિ સાચવી છે અને અત્યારે પણ તેઓ તે દષ્ટિને જ પોષે છે. ત્રણે ફિરકાના ઉપલબ્ધ સાહિત્યમાં ઐતિહાસિક દષ્ટિએ નિર્વિવાદપણે સૌથી વધારે પ્રાચીન મનાતા વેતાંબરીય અંગ સાહિત્યમાં અને તેમાં ય સાથી વધારે પ્રાચીનતાના અંશે ધરાવનાર આચારાંગ સૂત્રમાં આપણે અચેલ અને સચેત કાને ધર્મોનું વિધાન જોઈએ છીએ. આ બન્ને વિધામાં એક પ્રથમનું અને બીજું પછીનું છે એમ માનવાને કશે જ પુરા નથીતેથી ઊલટું અચેલ અને સચેલ ધર્મનાં બન્ને વિધાને મહાવીરકાલીન છે એમ માનવાને અનેક # ૧૬૨ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy