SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ આત્મારામજી તરફથી પત્ર શ્રી: મુ. મુંબઈ બંદર શ્રાવક પુ દે. શા. મ. દ. (ઉપર પ્રમાણે) ગ્ય છરાથી લિ૦ આચાર્ય મહારાજશ્રી..............સાધુ) ઉપર પ્રમાણે ) ૧૨ ના તરફથી ધર્મલાભ વાંચજો. કાગળ તમારો આવ્યો. સમાચાર જાણ્યા છે. અત્રે સુખસાતા છે. ધર્મધ્યાન કરવામાં ઉદ્યમ રાખજે. કેનેડા(અમેરિકામાં કેઈ શહેર છે ત્યાં )થી એક છાપું જેન એસોસીએશન મારફત મહારાજ સાહેબના નામનું પહોંચ્યું છે તે વંચાવ્યું. પરંતુ તેમાં અસલ મતલબ માલૂમ પડી નથી માટે તે છાપું આજરોજે તમેને કહ્યું છે તે વાંચી મતલબ હમને લખી જણાવશે કે તે લોકેએ હમારા ઉપર શા કારણ માટે કહ્યું છે તથા જે એમાંથી કોઈ સમાચાર જેન પત્રિકામાં છપાવવા લાયક હોય તે છપાવી દેજે. ભાઈશ્રી નવલચંદભાઈ તા. વીરચંદ દીપચંદ તથા પંડિતજી અમીચંદજી વિગેરેને ધર્મલાભ કહેજે. કોઈ નવીન સમાચાર હોય તો લખજે. ૧લ્પ૦ ચૈત્રવદિ ૧૧ વાર મંગળ. દા. વલ્લભવિયેના ધર્મલાભ વાંચજે. શ્રી. મુંબાઈબંદર શ્રાવક.....આદિ સાધુ ( ઉપર પ્રમાણે ) ૧૫ ના તરફથી ધર્મલાભ વાંચજે. કાગળ તમારો પહોંચ્યો. સમાચાર જાણ્યા છે. ચિકાગો સંબંધી લખાણ જેન પત્રિકા મારફત જાણ્યું છે. જે ચોપડી બે ભાગમાં છપાઈ છે તે તમને મળી હશે. વિશેષ જે જે વ્યાન તે ચોપડીમાં જૈન ધર્મ સંબંધી હોય તે તે મુંબાઈ ગેઝીટમાં તથા લાહોરના સિવિલ એંડ મિલિટ્રી ગેઝીટમાં છપાઈ જાય તો ઘણું સારું; કારણ કે કઈ અંગ્રેજી ભણેલ દેશી તથા અંગ્રેજો તથા રાજા બાબુ વિગેરેનાં વાંચવામાં પણ તે હકીકત આવે. આ દેશમાં ગુજરાતી કોઈ પણ લે(ક) પ્રાય: જાણી નથી શકતા તેથી જે અંગ્રેજીમાં પ્રથમ લખેલ બંને છાપામાં પ્રગટ થઈ જાય તો ઘણું રુડું કામ છે. પછી જેમ તમારી મરજી. આ વાત ભાઈ નવલચંદજી તથા શેઠ વીરચંદ દીપચંદ તથા હરખચંદ રાયચંદ તા. ચુનીલાલ જેચંદ જૈન પત્રિકાના અધિપતિ વિગેરે સર્વ સભાસદોને ધર્મલાભ સાથે માલમ કરશો. વિશેષ શેઠ ફકીરચંદ ભાઈ પ્રેમચંદ તા. પ્રેમચંદ રાયચંદ તથા બડા શેઠજી વિગેરેને પણ માલમ કરવું ઠીક ધારે તો કરશો તથા ધર્મલાભ કહેજે. વિશેષ પાલણપુરમાં જે ન્યાયાધીશ હતા તે ગિરધરલાલ હીરાભાઈ હાલમાં કહાં છે તે જે માલમ હોય તે તેઓને પત્ર લખી માલમ કરશે કે જે હાથીગુફાને લેખ મહારાજજી સાહેબ ઉપર તમેએ લખી મોકલ્યો છે તે કઈ કિતાબને છે તે કિતાબનું નામ - મંગાવી ભાઈ શ્રી ફકીરચંદજીને માલમ કરશે જેથી તે કિતાબની તથા તે હાથીગુફાના લેખનું ગુજરાતી ભાષાંતર કરવાની તજવીજ કરશે અને હમને મોકલાવી આપશે. વાસ્ત જરૂર આ વાત ભૂલશો નહીં. અત્રે સુખસાતા છે. ધર્મધ્યાન કરવામાં ઉદ્યમ રાખજે. ૧૯૫૦ શતાબ્દિ ગ્રંથ ] •: ૧ર૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy