SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હીરાલાલ રસિકદાસ કાપડિયા અવતરણ છે તેનો નામનિર્દેશ કરતા નથી. આનાં ત્રણેક કારણુ હોવાની કલ્પના થઇ શકે છે :— ( ૧ ) જ્ઞાન એ સાર્વજનિક સંપત્તિ ગણાતી હોવાથી એના પ્રકાશકાદિના નામનિર્દેશનો ઉલ્લેખ કરવાની તે સમયમાં પ્રથા ન હોય. ( ૨ ) જે સમયમાં ગ્રંથ રચાયો હોય તે સમયના વિદ્વાનોને અવતરણનુ સ્થળ જાણીતુ હોવાથી તેનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા રહેતી ન હોય. ( ૩ ) તેમણે પોતાના ગુરુ કે પ્રગુરુ પ્રમુખ પાસેથી અવતરણ હોય, પરંતુ તેના મૂળ સ્થળ સંબંધી તેમના તરફથી પ્રકાશ પડી ન વિભાગાદિની અને કેટલાક ગ્રંથકારોએ કેવળ ગ્રંથનું જ નામ ન દર્શાવતાં તેના પોતાને ગ્રંથમાં રચતી વેળા પ્રાપ્ત થયેલી હસ્તલિખિત પ્રતિના પાનાની પૂર્ણ નોંધ લીધેલી જોવાય છે. કેટલીક વેળા 66 इति वचनात् ” એમ કરીને અવતરણ પૂર્ણ કરનાર પોતાના ગ્રંથમાં આપેલાં સમસ્ત અવતરણોનો આ રીતે કે અન્ય કોઈ રીતે સ્પષ્ટ ઉલ્લેખ કરતા નથી. દાખલા તરીકે શ્રીમલિયેસૂરિએ સ્યાદ્વાદમજરીમાં કેટલીકવાર ન્યાય પ્રવેશની વૃત્તિ, પ્રમાણમીમાંસા, સ્યાદ્વાદરત્નાકર ને રત્નાકરાવતારિકામાંની પંક્તિઓનો શબ્દશ: ઉપયાગ કર્યા છે, છતાં તેમણે તેને અવતરણરૂપે નિર્દેશ કર્યા નથી.૧ આ પ્રમાણે અવતરણ ર કરવા માટે અન્યાન્ય શૈલીનેા આશ્રય લેવાયેલા છે. ઉપયાગ-પેાતાની કૃતિને પ્રામાણિક સિદ્ધ કરવા માટે અવતરણાના ઉપયાગ કરાય છે એ વાત ઉપર કહેવાઈ ગઈ છે. આ ઉપરાંત અવતરણાના ઉપયેગ પૂર્વ પક્ષ રજુ કરવા માટે પણ કરાય છે. વળી ગ્રંથ કે ગ્રંથકારને સમય નિીત કરવામાં અવતરણ કામમાં લેવાય છે, જેમકે શ્રીયાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ કયારે થયા એને નિર્ણય કરવા માટે તેમણે કરેલ ઐદ્ધતાર્કિક ધ કીતિ ને તેના ગ્રંથગત પ ંક્તિઓ, નદિમુત્તની ચૂર્ણિની પંક્તિ ઇત્યાદિ કામમાં લેવાય છે. પૂર્વે સૂચવાઇ ગયું છે તેમ જ્યારે ગ્રંથ રસગ્રહાત્મક હોય ત્યારે તેમાંની કાઇ સાંભળી ઉદ્ધૃત કર્યું. શકયો હોય. ૧ જુએ રાયચદ્ર જૈન શાસ્ત્રમાલાદારા પ્રકાશિત આવૃત્તિ ( પૃ॰ ૧૮ ), ઇ. સ. ૧૯૩૫, ૨ દાખલા તરીકે શ્રી નેમચંદ્રસૂરિષ્કૃત ગામ્મટસાર. એના જીવકાંડની “ નિષ્ક્રમ્સ ” થી શરૂ થતી ૬૧૪ મી ગાથા સર્વાસિદ્ધિ ને રાજવાતિક એ એ દિગબરીય ગ્રંથેામાં તેમ જ પ્રજ્ઞાપનાસૂત્ર તથા તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ. ૫, સૂ. ૩૫ ) ની ભાષ્યાનુસારિણી ટીકા ( પૃ. ૪૨૫ ) એ એ શ્વેતાંબરીય ગ્રંથામાં પણ થોડાક ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે. શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only .: 99 : www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy