SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1182
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્યોત્તર સંસ્કૃત જૈનસાહિત્યમાં હેમ-કુમારપાળ સંબંધિત રૂપક કથાઓ કુમારપાળે આચાર્યની પ્રેરણાથી ના શરતો સ્વીકારીને વૃકુમારી અહિંસા સાથે લગ્ન કર્યું. કન્યાનું મુખમંડળ નિહાળવા બોત્તેર લાખની આવકનો રુદતીકરત્યાગ - નિઃસંતાનધનન્ત્યાગ રૂપ દાન કર્યું. આ સમયે રાજાની દિશા નામની પની વિધાના પાસે ચાલી ગઈ, વિધાતાએ અને આશ્વાસન આપ્યું કે : “સત્યપ્રિય એવા કુમારપાળ જૈન સાધુના કહેવાથી વિરકત થયા છે. હવે હું તને એવા પિત સાથે પરણાવીશ કે જેથી તારું એક ચકી રાજ્ય ચાલે.'' ૪. સોનામાંગ - શેખરસૂરિ ‘જૈનકુમારસંભવ’ના કાં શેખરસૂરિએ વિ.સં. ૧૪૬૨માં આ ગ્રંથની રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન પદ્મનાભના શિષ્ય ધર્મરુચિ દ્વારા રજૂ થયેલું આત્મસ્વરૂપ-નિરૂપણ મુખ્ય વસ્તુ છે. પરંતુ આ સંપૂર્ણ રૂપકાત્મક રચનામાં મોહ-વિવેક યુદ્ધમાં વિવેકનો વિજય બતાવતાં કલિયુગમાં દુ:ખી પૃથ્વીના ઉદ્ધારાર્થે રાજા કુમારપાળના જન્મનો ઉલ્લેખ કર્યો છે. શરીરમાં મજ્જપર્યંત જૈનધર્મી આ રાજીએ અઢાર દેશોમાંથી માર' શબ્દ દૂર કર્યો, કતલખાનાં અને મદિરાની ભઠ્ઠીઓ બંધ કરાવી. मज्जाजैनेन येनोच्यै राजर्षिख्यातिमीयुषा । अष्टदशदेशेषु मारीशब्दोऽपि वारितः ॥ ६-३४ कलेः कलेवरे भक्तपानदानेन ये हिते । ते ते अमुना सूना भ्राष्ट्रय मोहस्य यल्लभे ॥ ६-४१ પુરોગામીઓનાં રૂપકો અનુસાર કુમારપાળના સદ્ગુણ પ્રાકટ્યના ઉદ્દેશથી અહીં રૂપકાત્મક પાત્રો સાથે કુમારપાળનો ઉલ્લેખ કર્યો છે. તેના રાજ્યમાં ચારે વર્ણો હિંસા ત્યજી જૈન બન્યા. संजातमार्हतं चातुर्वर्ण्य हिंसां जहौ जनः ' सर्वत्र साधवोऽर्च्यन्तेऽधीयते धार्मिकी श्रुतिः ॥ ६-४६ ॥ ૫. કુમારપાનપ્રબંધ - જિનમંડન ગણી વિ.સં. ૧૪૯૨ ઇતિહાસ પર પ્રકાશ પાડતી આકૃતિમાં વિ.સં. ૮૦૨માં અણહિલપુર પાટણની સ્થાપનાથી વિ.સં. ૧૨૩૦ સુધીની ઘટનાઓની સંક્ષિપ્ત રજૂઆત છે; તેમાં પણ રૂપકાત્મક અંશ છે. એકવાર ગુરુવંદના કરતા રાજાએ પૌષધશાળાના દરવાજે એક સુંદર કન્યા જોઈ. હેમચંદ્રાચાર્યે કન્યાનો પરિચય કરાવ્યો કે તે વિમલચિત્ત નગરના હર્મ રાજા અને વિરતિ રાણીની પુત્રી કૃપાસુંદરી છે. તેને યોગ્ય વર ન મળતાં તે વૃદ્ધકુમારી તરીકે પ્રસિદ્ધ છે. Jain Education International - ૧૯ વળી આ પરિવારના અહીં આગમન વિશે કહ્યું કે અદ્ધર્મ અને રાજચિત્તપુરના મોહરાજ વચ્ચે નિરંતર યુદ્ધો થતાં રહે છે. કળિયુગમાં મોહરાજ ફાવી ગયો છે તેથી અર્ધદ્ધર્મ અત્યારે તેના પરિવાર સાથે કુમારપાળના રાજ્યમાં વો છે. કૃપાસુંદરીના પિરવારની મહત્તા જાણીને કુમારપાળે તેની સાથે લગ્ન કરવા વિચાર્યું. તેણે મનિષકર્ષ હાય પાસુંદરીની પ્રતિજ્ઞાઓ જાણી - મૃત્તકધન ત્યજે, રાજ્યમાંથી વ્યસનોનું નિષ્કાસન કરે તેની સાથે કૃપાસુંદરી લગ્ન કરો. જાહેર કરવામાં આવ્યું કે હેમચંદ્રાચાર્ધના ઉપદેશથી આ બધું પહેલેથી જ કુમારપાળે કર્યું છે. किथामश्वमयं त्यक्त्वा परनारपरामुखः । स्वदेशे परदेशे च हिंसादिकमवारयत् ॥ આ સાંભળી પ્રસન્ન થયેલા ધર્મપે વિરતિને જણાવીને કૃપાસુંદરી કુમારપાળને પરણાવી. - વિ.સં. ૧૨૧૬ના માગશર સુદી બીજના શુભ દિવસે. હેમચંદ્રાચાર્યે આશીર્વાદ આપ્યા હૈ : या प्रायेन पुरा निरीक्षितुमपि श्री श्रेणिकायेनृषिः कन्यां तां परिणायितोऽसि नृपते ! त्वं धर्मभूमिशितुः । अस्यां प्रेम महद्विधेयमनिश खण्ड्यं च नेताद्वयो यस्मादेतदुरुप्रसंगवशतो भावी भृशं निवृत्तः ॥ ‘‘શ્રેણિક જેવા રાજા-મહારાજાઓ જેને જોવા પણ પામ્યા નથી તેવી પાસુંદરીને પરણીને કે રાજન, સુખી થઈશ.'' જૈન પરંપરા માને છે કે ભગવાન મહાવીરની હયાતીમાં તેમના પરમભક્ત શ્રેણિકે અહિંસાક્ષેત્રે જે કામ ન કર્યું તે કામ કુમારપાળે શ્રદ્ધેય ગુરુ હેમના આશીર્વાદથી કર્યું એવી ગર્ભિતાર્થ છે. મોહરાજને જીતીને પોતાના પિતાનું રાજ્ય પાછું અપાવવા કૃપસુંદરીએ કુમારપાળને વિનંતી કરી તો કુમારપાળે મોહરાની રાજધાની પાસે પડાવ નાખ્યો અને જ્ઞાનદર્પણ દૂત સાથે કહેવાયું. ધર્મરાજનું રાજ્ય પાછું આપ્યું અગર યુદ્ધ માટે તૈયાર થાઓ ' મોહરાજે પડકાર ઝીલી લીધો, તેણે દુર્બાન સેનાપતિ સાથે માત્સર્યનું ક્વચ ધારણ કર્યું અને નાસ્તિક્યના હાથી પર બેસી રાગ ક્રોધાદિ વીરો સાથે યુદ્ધ આરંભ્યું; પરંતુ શસ્ત્રો ખૂટી પડતાં તે યુદ્ધભૂમિમાંથી ભાગી ગયો. આમ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળને કેન્દ્રમાં રાખી ગુજરાતમાં લખાયેલું રૂપક-સાહિત્ય સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. *** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy