SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ નામ બાહ્ય અહિંસા કે યોગ અહિંસા પણ છે. (૨) હેતુ અહિંસા - તે જયાણાએ પ્રવર્તન. છકાય જીવની રક્ષા પ્રવૃત્તિ. (૩) અનુબંધ અહિંસા - તે રાગ દ્વેષાદિ મલિન અધ્યવસાય તીવ્ર વિષય કષાયના પરિણામે હિંસાનો ત્યાગ જેથી ફલ વિપાક રૂપે આકરી કર્મબંધ ન પડે તે. (૪) દ્રવ્ય અહિંસા એટલે અનુપયોગ હિંસાનો ત્યાગ (૫) પરિણામ અહિંસા તે ઉપયોગ પૂર્વક પરિણમીને ઈરાદાથી જે હિંસા કરવી તેનો ત્યાગ ઈત્યાદિ અનેક ભેદ છે. અહિંસાના આ પાંચ પ્રકાર જોતાં સ્પષ્ટ થાય છે કે હિંસાનું મૂળ છે અનુબંધ હિંસા અર્થાત રાગદ્વેષની પરિણતિ જ્યારે હિંસાથી વિરામ પામી અહિંસાને અપનાવવી છે ત્યારે સાધકને માટે અનુબંધ અહિંસા જ તેનામાં પરિવર્તન લાવી શકે છે. - સાધક જ્યારે રાગદ્વેષની પરિણતિથી વિરામ પામતો જાય, અનુબંધ અહિંસાનું આચરણ કરતો જાય તેમ તેમ તેના જીવનમાં સ્વરૂપ અહિંસા, હેતુ અહિંસા આદિ સહેજે પરિણત થાય છે. તેથી જ દેવચંદ્રજી અહિંસાના સ્વરૂપ વિષયક પ્રશ્નના ઉત્તરમાં લખે છે કે અહિંસાના સ્વરૂ૫ તો પૂર્વે તુહને જમાવ્યા છઈ અને વલી સમજવાં ! મૂલ અહિંસા અનુબંધ હોઈ, તે મળે ઉપયોગીને ભાવથી અને અનુપયોગીને દ્રવ્યથી, તે તો જિણ જે ગુણસ્થાનક તે માફક જાણવી. આ રીતે દેવચંદ્રજીએ સર્વ પ્રકારે શુદ્ધ ભાવને જ પ્રાધાન્ય આપ્યું છે. પત્ર નં. ૩ માં દેવચંદ્રજીએ સાધના માર્ગ, આત્માનું દેવતત્ત્વ અને ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. સર્વ જીવ છે સિદ્ધ સમ શુદ્ધાત્માના સર્વ ગુણ નિરાવરણ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયને તે સિદ્ધાત્મા સહજપણે, અકૃતપણે, અખંડપણે ભોગવી રહ્યા છે. જીવનું આ જ શુદ્ધ સ્વરૂપ છે અને તેવું જ સ્વરૂપ સર્વ જીવોનું છે. કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશ અનંત ગુણોનો વ્યાપ વ્યાપકપણે અનાદિ અનંત સંબંધ છે. શુદ્ધાત્મા તે ગુણો આવરણમુકત હોવાના કારણે વિકૃતપણે પરિણમે છે. શકિતની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષાએ સર્વ જીવો સમાન છે. દેવતત્ત્વ દેવચંદ્રજી દેવતત્ત્વનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે તે શુદ્ધ ધર્મ જેહને સમરણે પ્રગટ્યો તે દેવતત્ત્વ છે. આત્માના અનંત ગુણો જેને પ્રગટપણે વર્તે છે તેવા અનંત ઐશ્વર્યયુક્ત આત્મા તે દેવ શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy