SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલપ (ઈચ્છા તપ) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત અંશરૂપે પણ હોય તે જ પૂર્ણ સ્વરૂપે અશુદ્ધિ, આવરણ હઠી જતાં પ્રગટે અર્થાત્ પ્રકાશમાં આવે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ, આ શ્રદ્ધા, બુદ્ધિ, શ્રમ (વર્તન) અને ઈચ્છાને સુધારવાનાં છે. અસદ્ થયેલ છે, વિનાશી (સાદિ સાન્ત) બનેલ છે તેને સદ્-અવિનાશી બનાવવાના છે. સદ્ ઈચ્છા રાખી, સદ્ગુદ્ધિ વાપરી, સદ્ વર્તન આચરી, સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી, તેમના આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ, સ્વયં પરમાત્મા બનાવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપગુણ દર્શન (કેવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂપ), તપ (પૂર્ણકામ) છે, તેનું પ્રાગટ્ય અશુદ્ધિ-કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ-શ્રમ અને ઈચ્છાને પરમાત્મતત્વ સાથે જોડવાનાં છે અને મોક્ષ લક્ષ્ય સમ્યગ્ બનવવાનાં છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર યંત્રની નવપદજીની આરાધના કરવાની છે. નવપદજીની ઓળી જે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુદી પૂનમ અને આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ દરમિયાન વર્ષમાં બે વાર આવે છે ત્યારે આયંબિલનો તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની, એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નવેપદની આરાધના, પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના ભાવી શકાય.. અરિહત એવો હું અરિહંત બનવા માટે, અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા, સાકાર પરમાત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે અને વર્તમાને તીર્થંકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વે અરિહંત ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ અરિહત પણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ॐ णमो अरिहंताणं ।। અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે, અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન નિરાકાર પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચૌદમાં ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે અને જેઓ હવે સિદ્ધ થનાર છે તે સર્વે સિદ્ધ ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો, તેના ફળ સ્વરૂપ, અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઈચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ।। ૐ નમો સિદ્ધાળું ।। સ્વા મંત્ર Jain Education International For Private & Personal Use Only ८८ www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy