SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ છે. છઠ્ઠી ઢાળમાં કવિની કલ્પના શક્તિ અને કાવ્ય રચનાનું માધુર્ય ને સૌંદર્ય આકર્ષક બની રહે છે. નાચત શક્ર શક્રી હરી ભાઈ નાચત શક્ર શકી, છે છે છે ને ન ન ન ન નાચત શક્ર શકી હેરી ભાઈનાચત શક્ર શકી છે. સ્નાત્રને અંતે કળશની રચના પરંપરાગત રીતે કરીને ગુરુપરંપરા અને રચના સમય સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. આત્મારામજીના પૂજા સાહિત્ય પર વિહંગાવલોકન કરતાં એટલું સ્પષ્ટ સમજાય છે કે કવિએ પૂજાના વિષય વસ્તુની પસંદગીમાં પ્રતિમા પૂજનના વિષયને સ્વીકારીને સ્નાત્રપૂજા, અષ્ટ પ્રકારી પૂજા અને સત્તરભેદી પૂજાની રચના કરી છે આ વિષય પસંદગી અંગે મારું એવું અનુમાન છે કે કવિએ પ્રથમ સ્થાનકવાસી મતની દીક્ષા લીધી હતી અને જૈન તત્વજ્ઞાન અભ્યાસથી જિન પ્રતિમાના શાસ્ત્રીય સંદર્ભો જાણ્યા એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી. આ વિચાર પરિવર્તનની દૃઢતાના પ્રભાવથી ઉપરોકત વિષય પર પૂજા રચીને શાસ્ત્રીય પરંપરાનું સત્યનિષ્ઠા અને શ્રધ્ધાથી ગૌરવ વધાર્યું છે. જૈન તવ દર્શનના અભ્યાસના ચક રૂપે નવપદ અને વીસ સ્થાનક પૂજા ૨ચીને જ્ઞાન માર્ગને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિવિધ દેશીઓ અને શાસ્ત્રીય રાગોને પ્રયોગથી કવિતા સંગીત અને ભકિતનો ત્રિવેણી સંગ સર્જાયો છે. લય અર્થ ગંભીરતા શબ્દ લાલિત્ય વર્ણ યોજના ચિત્રાત્મક વાળી પંકિતઓ એમની કવિત્વ શકિતની અભિવ્યક્તિના ઉદાહરણ રૂપ છે. પંજાબના વતની હોવા છતાં ગુજરાતી ભાષામાં હિન્દીની છાંટવાળી પૂજા સાહિત્યની રચનાઓ જૈન કાવ્ય સાહિત્યનો અમૂલ્ય વારસો છે. શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ ગુરુપરંપરાનો અને રચના સમય, સ્થળ, કવિના નામનો ઉલ્લેખ વગેરે મધ્યકાલીન જૈન કવિઓની પરંપરાનું અનુસરણ થયેલું જોવા મળે છે. અષ્ટ પ્રકારી પૂજા કરતાં સત્તરભેદી પૂજા ભકિતકાવ્યની રચના તરીકે વધુ સફળ નીવડી છે. જ્યારે નવપદ અને વીસ સ્થાનકની પૂજા ભકિત કરતાં જ્ઞાન માર્ગને સ્પર્શી બુદ્ધિને કસોટીએ ચઢાવીને તત્વની કઠિન વાતોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમ એમનું પૂજા સાહિત્ય જ્ઞાન અને ભકિતનો સમન્વય કરે છે. જેના કવિઓમાં પદ્ય રચનાની પરંપરા નહિવત સ્થાન ધરાવે છે ત્યારે આત્મારામજીની રચનાઓ લોક હૃદયમાં ભકિત સ્વરૂપે સ્થાન પામી છે. આત્મારામજીનું પૂજા સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy