SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યમૂર્તિ સંઘહિતચિંતક મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ લેખકઃ મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ શ્રમણ ભગવંતોનું કાર્ય દ્વિવિધ હોય છે – આત્મસાધના કરવી અને અન્યને આત્મસાધનામાં સહાયક બનવું. આ બંને કાર્ય કરવામાં કષ્ટ પડવાનું જ. એ કષ્ટ સહન કરવું એ સાધુનું ત્રીજું કર્તવ્ય બની જાય છે. સંઘ-સમુદાયના નાયકપદે આવતા મુનિવરોને સંઘસંચાલનનું એક વધુ કાર્ય કરવું પડે છે. જૈન શાસનને આવા અનેક સંઘનાયક આચાર્યાદિની સેવા મળી છે. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ એવા એક નેતૃત્વવાહક મુનિવર હતા. જન્મભૂમિ : નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ). જન્મ સં. ૧૯૬૮, પિતા : શ્રી રતનશીભાઈ, માતા : શ્રીમતી તેજબાઈ. સંસારી નામ : વસનજીભાઈ. સરલાત્મા ધર્મપ્રિય વસનજીભાઈ બાર વર્ષની ઉંમરે પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા અને પૂર્વસંસ્કારબળે વૈરાગી બન્યા. ગુરુમહારાજ પાસે સંયમગ્રહણ કરવાની ભાવના જણાવી. પૂજ્ય આચાર્યદેવ દીક્ષાર્થીની કેળવણી અને કસોટીના ખૂબ આગ્રહી હતા. ત્રણ વર્ષના અભ્યાસ અને તાલીમ બાદ સં. ૧૯૮૩માં ભાડિયામાં તેમની દીક્ષા ભારે ઠાઠથી થઈ. ગુરુમહારાજની કડક કેળવણી હેઠળ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીએ જ્ઞાન અને અનુભવનું સારું એવું ભાથું મેળવ્યું. સં. ૧૯૯૫માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયા પછી સંઘ અને સમુદાયનો સઘળો કાર્યભાર તેમણે કુશળતાથી વહન કર્યો. કાઠિયાવાડ, કચ્છ, મારવાડ અને મુંબઈ તેમના મુખ્ય વિહારક્ષેત્રો હતા. મુંબઈનો તેમનો વિહાર સંઘ માટે ઘણો ઉપકારક નિવડ્યો. મુંબઈમાં પાર્થચંદ્રગચ્છની નવરચના તથા ઉપાશ્રયનું નિર્માણ એ તેઓશ્રીના દીર્ઘદૃષ્ટિભર્યા માર્ગદર્શનની ફળશ્રુતિ હતી. તેઓશ્રીના જીવનના ધ્યાનાકર્ષક ગુણ હતા - વાત્સલ્યભાવ અને સરળતા. સાધુ-સાધ્વીઓ તરફ તેઓશ્રી વિશેષ વાત્સલ્ય વહાવતા. સંઘ સમુદાયના પ્રશ્નોનો ઉકેલ તેઓશ્રી હંમેશાં વાત્સલ્ય અને વ્યવહારુ દૃષ્ટિકોણથી જ લાવતા. પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાં આત્મજાગૃતિ ટકાવી રાખવાનો પુરુષાર્થ ચાલુ જ રહેતો, આધ્યાત્મિક શાસ્ત્રોનાં સ્વાધ્યાય અને વાચન-મનન તેમને સવિશેષ પ્રિય હતાં. તેમના સંસારી લઘુબંધુ પણ તેમના પગલે ચાલીને તેમના શિષ્ય બન્યા, જેઓશ્રીનું નામ છે પૂજ્ય સંઘસૌરભ ન ૩૭ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy