SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગિરનાર ચેત્ય પ્રવાડિ વિનતિ નિર્દેશ કરી, મંદિરમાં “નેમિનાથને પ્રણમે છે. એ પછી ઈદ્રમંડપમાંથી પસાર થઈ, ગજપદ કુંડમાં સ્નાન કરી, કવિ પૂજનવિધિ વર્ણવે છે. બેતર બિંબ અને “અષ્ટાપદ'ના આઠ બિંબનું પૂજન કરે છે. આમ ક્રમે ક્રમે “શત્રુજયાવતાર આદીશ્વર', “અષ્ટાપદ', “સમેત શિખર'ના દેવો, મરુદીવ અને કવડીલ યક્ષ” (કપદ યક્ષ) તેમજ “નેમિનાથ”ના કલ્યાણત્રય મંદિરમાં દર્શન કરી, રથનેમિ-રાજમતીના મંદિરોની મુલાકાત લઈ, અંબાજીની ટૂંક સુધી પહોંચી જાય છે. પછી “અવલોકન શિખર', અને “શામ્બ-પ્રદ્યુમ્નને નમી, હેમબલાનક' બિંબને જુહારે છે. ત્યાંથી કંટાઈ કવિ “સહસારામ” (શેષાવન), “લાખારામ”, “ચંદબિંદુ' (ચંદ્રગુફા), સહસ્ત્રબિન્દુ ગુફા, સાતપુડા અને કાળકા (2) ) ગુફામાં નમસ્કાર કરી, ત્યપ્રવાડી પૂર્ણ કરે છે. આ સિવાય બીજા નહિ નિર્દેશાયેલાં અનેક સ્થાનકે અને છત્રશિલા” (ભૈરવ જ૫ ?) )ને પણ ઉલ્લેખ કરે છે. આ પ્રમાણે કવિ સખીને પૂરી ચૈત્યપ્રવાડી ગાઈ સંભળાવે છે. કવિ ભાવિક છે, માટે પૂજાવિધિના વર્ણનમાં ખાસી ૬ કડી રોકે છે, (૧૫ થી ૨૧) કવિ હૃદય પ્રકૃતિનું ચેહર સૌંદર્ય નીરખી રોમાંચિત થઈ પહેલી ૮ કડી તે તેનું વર્ણન ગાવામાં રોકે છે. આમ પરિપાટીને અર્ધો ભાગ કાવ્ય વ્યંજના માટે રાખી, શેષ ભાગમાં ઐતિહાસિક માહિતી આપે છે. ને ત્યાં પણ કવિની કાવ્યકળા તે છતી થતી રહે જ છે. (૬ શ્રી કડીને પૂર્વાધ નથી.) આગલી “ગિરનાર ચેર પરિપાટીમાં નથી આપ્યા એવા, મંગલપુરના પાર્શ્વનાથ, વંથલીના શાંતિજિન, દામોદરને ઘાટ વસ્તુપાળે બંધાવ્યાને ઉલેખ, હેમબલાનક (કાંચન બલાણ), છત્રશિલાના ઉલેખ, ઇત્યાદિ આ કૃતિમાં મળે છે. આ રચના જે પ્રતિમાંથી મળી છે એને લેખન સંવત સતરમા શતકને લાગે છે. પ્રતિ લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાંથી પુણ્યવિજયજી સંગ્રહની (નં. ૮૨૮૫) છે. પ્રતિ પરિમાણ ૨૬.૪૪. ૧૧.૧ સે. મિ. પંક્તિ ૧૪; અક્ષર ૪૮ (દરેક પત્રમાં સરાસરી) છે. કાવ્યની ભાષા પણ આગલી કૃતિ “ગિરનાર ચેન્ન પ્રવાડી” કરતાં થોડી પાતરા સમયની છે. વ્રજભાષાના કવિ જેવું પદ લાલિત્ય પણ છે. ગિરિસ્થ સ્થાને માટેની ઐતિહાસિક વિગતોની ચર્ચા આગલી કૃતિ વખતે કરેલી છે, એટલે અહી તે પર વિશેષ ચર્ચા અનાવશ્યક બની રહે છે. કૃતિ રથનેમિનું મંદિર બંધાઈ ગયા પછીની છે અને એથી ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં ક્યારેક રચાઈ હશે. પાદટીપ ૧. રતનશેખરસૂરિશિષ્ય કૃત “ગિરનાર તીર્થમાળા' - (ક. ૧૪), પ્રાચીન તીર્થમાળ ભા ૧, ભાવનગર, વિ. સં. ૧૯૭૮. ૨. હેમહંસકૃત “ગિરનાર ચૈત્ય પરિપાટી' (ક. ૩૦-૩૪). સં. પં. બેચરદાસ દેશી, અમદાવાદ વિ. સં. ૧૯૭૮ પુરાતત્ત્વ ભા. ૧ (પૃ. ૨૯૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy