SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન ૨૧૩ ન વધે તે આપણા જીવનમાં ત્યાગનું દર્શન કેમ થાય ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે? શાશ્વત અને અશાશ્વતને વિવેક કરે એ જ તો વિદ્યાનું પ્રથમ પાસું છે. બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે, તે એકાંતમાં અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના જી પ્રત્યે કરું. આ દષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં, એના આચારમાં એક જાતની ઉચ્ચતા–શુચિતા આવે છે. આ ઉચ્ચતા લેકને રાજી કરવા બહારથી લાવેલી નથી, પણ એ અંદરથી ઊગેલી છે. વિશ્વના પ્રાણીમાત્રમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે. આવી દષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એક વાર હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પોતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢી એ પછી જ હાઈટ હાઉસ જાય છે. ત્યાં કોઈએ ડ્રાઈવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ લાગેલા છે? ડ્રાઈવરે કહ્યું કે “ડુકકરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે.” આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા, ત્યારે લિંકને કહ્યું. “રહેવા દે, મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું, પણ ડુકકરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યથાને કાંટે કાઢવા ડુક્કરને કાઢડ્યા વિના છૂટકે નહતો.” આટલું કહીને લિંકન ચાલતા થયા. બીજાને દુઃખી જોઈને પિતે દુઃખી થવું, આ એક સમભાવ અવસ્થા, પ્રાણત્રીની ભાવના, વિશ્વમાં રહેલા ચિતન્યમાં પોતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પિતાના દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરીએ એ જ પ્રયત્ન જગતના જીવો પ્રત્યે આપણે કરતા રહીએ, કરવા માટેની આપણી સતત અભિલાષા હોય, ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાને પ્રકાશ આવતો જાય છે. આવી વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ. રાજસ્થાનના ગામડાનો એક પ્રસંગ છે: બે ભાઈઓ છે. મોટાભાઈનો વિસ્તાર વધારે છે, નાનાભાઈને વિસ્તાર થોડે છે. બન્નેનાં ખેતરે છે, વચ્ચે એક વાડ છે. કાપણું પછી હૂંડાને ઢગલે થયે છે. રાત્રે મોટો ભાઈ વિચારે છે કે આ મારે ભાઈ માને છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે; નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારથી એ પિતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મોટા ભાઈને વિસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે? હું તે જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પિતાના ખેતરના પૂળાઓને મોટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે-ત્રણ દિવસ ચાલ્યું. ચેથી રાત્રિએ બને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું “તું ક્યાં જાય છે?” બીજાએ પૂછ્યું “તું ક્યાં જાય છે?” બનેના હાથમાં પૂળા. પેલો આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય ! આનું નામ વિદ્યા છે, આ સાચી કેળવણી છે. નાનો મેટાને વિચાર કરે, માટે નાનાને વિચાર કરે. બન્નેમાં એકબીજાને સમજવાની વૃત્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy