SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મનસુખલાલ તારાચં૪ મહેતા : રૂપ-અરૂપ ૨૦૭ મુનિરાજ તે। દેહના સ્નેહને જીતી ચૂકયા હતા. એમણે શાંતિપૂર્વક દેવાને કહ્યું: “ તમે રાજસભામાં જે દ્વિવસે મારા દેહમાં છુપાયેલા રાગેાના જંતુએ મને મતાન્યા, તે ઘડીથી જ મારી દેહ પરની માયા-મમતાનું વિસર્જન થઈ ગયું. હવે મને લાગે છે કે તે દિવસે તમે મારી પરીક્ષા નહેાતી કરી, પણ મારા ઉપર છૂપા ઉપકાર કર્યા હતા. તે દિવસે મને સમજાયું કે જે કાઈ માનવી મન, વચન અગર કાયાથી પાતાના દેહ કે દેહના રૂપ-લાવણ્યમાં રાગ-આસક્તિ કરે છે અથવા એના ગવ ધરે છે તેને અંતે દુઃખના ખાડામાં ઊતરવું પડે છે. વળી, શરીરથી મુક્ત થઈને અશરીરી સિદ્ધપદ પ્રાપ્ત કરવાની સાધના કરનાર સાધકને દેહનાં દર્દી અંતરાયરૂપ બનવાને બદલે ઊલટાં સહાયરૂપ બની જાય છે. મારી સાધના દેહના રોગેાના નિવારણ અર્થે નહીં, પણ ભવના રોગનો નાશ કરવા અર્થેની છે, કારણ કે એનેા નાશ થયા એટલે પછી રાગના જન્મસ્થાનરૂપ દેહને જ સદાને માટે અભાવ થઈ જાય છે. એટલે તમારી પાસે ભવરાગના નાશ કરવાની અર્થાત્ કરી જન્મ લેવા ન પડે એવી કાઈ દવા હાય તેા હું તમારી પાસે ઉપચાર કરાવવા તૈયાર છું.” દેવેએ વિનમ્રતાપૂર્વક કહ્યું: “મુનિરાજ! જ્યાં અમે અમારે પેાતાના જ ભવરાગ દૂર કરી શકચા નથી, ત્યાં આપના ભવરાગને તા અમે કઈ રીતે દૂર કરી શકીએ ? પરંતુ દેહના રોગા દૂર થતાં આપના ચિત્તની પ્રસન્નતામાં વધારો થશે અને આત્મસાધના વધુ સરળ બનશે, એમ તા અમે ચાક્કસ માનીએ છીએ.” સનત્કુમાર મુનિએ આછા સ્મિતપૂર્વક કહ્યું: “ દેહ અને આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હેાવાના કારણે આત્મસાધનામાં દેહનાં દર્દો નહી પણ દેહના ભાગેા-ઇંદ્રિયના સુખવિલાસ-અંતરાયરૂપ અને છે. દેહનાં દર્દી તેા દેહની અનિત્યતા, ક્ષણભ'ગુરતા અને ક્ષણિકતાનુ' ભાન કરાવી ઉપકાર કરે છે. અને એનુ' ભાન તે। આત્મસાધનામાં અંતરાયરૂપ ખનવાને બદલે મદદરૂપ બની જાય છે.” :: અને દેવા પૈકી એકે કાંઈક કુતૂહલપૂર્વક કહ્યું “ મુનિરાજ ! જે મ`દિરમાં ભવ્ય પ્રતિમા હૈાય તે મ'દિર પણ તેવું જ ભવ્ય હાવુ જોઈ એ ને ? જીણુ -શીણુ થઈ ગયેલા મ'દિરમાં ભવ્ય પ્રતિમા જેમ શૈાભતી નથી, તેમ તમારે મહાન આત્મા આવા રોગગ્રસ્ત શરીરમાં રહે એ અમને ચૈાગ્ય લાગતું નથી.” દેવની આવી વાત સાંભળી સનત્ કુમાર મુનિ હસી પડયા અને ખેલ્યા: “ જીણું – શી` થઈ ગયેલા મદિરમાં પણ ભવ્ય પ્રતિમા હોય તે એ મદિર પણ ભવ્ય બની જાય છે; અને ભવ્ય મંદિરમાં પણ ખ'ડિત થયેલી પ્રતિમા હોય તેા એ મંદિરની ભવ્યતા ખ ંડિત થઈ જાય છે. મહિમા અને મહત્તા મંદિરનાં નહી... પણ પ્રતિમાનાં છે.” આમ છતાં દેવાના મનના સમાધાન અર્થે મુનિરાજે પેાતાના દેહ પર એક અદ્ભુત પ્રયાગ કરી બતાવ્યા. ઉત્કૃષ્ટ તપ અને સાધનાના કારણે સનત્કુમાર મુનિને આૌષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ વગેરે લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. મુનિરાજે પાતાનુ થૂંક પેાતાની આંગળી પર ચાપડ્યું કે તરત જ આંગળીમાંથી કુષ્ટના દર્દીના અંગે જે લેાહીપરુ વહી રહ્યું હતું તે અંધ થઈ ગયુ` અને તે આંગળી કંચન જેવી શુદ્ધ અને સ્ફટિક જેવી નિર્મળ ખની ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy