SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મગનલાલ ડો. શાહ મરજી મહાકવિ “કવિ, તારી જીભ બંધ કર. તારે સર્વનાશ નોતરતી મારી કઠોર આજ્ઞા છૂટે તે પહેલાં સમજી જા. તને આ આખરી તક આપું છું. ” રાજાએ ઉશ્કેરાઈને ચેતવણીને સૂર ઉચ્ચાર્યો. પણ કવિએ? કવિએ પ્રત્યુત્તર વાળવાને બદલે સ્વતંત્રતાનું ગીત લલકાર્યું: “હે પરમાત્મા, મારી સ્વતંત્રતા ખાતર ગલીઓમાં ફરતે કૂતરો બનવાનું મને મંજૂર છે, પણ પરાધીન બનીને હું ત્રણ જગતને સ્વામી પણ બનવા તૈયાર નથી !” કવિએ-સ્વતંત્રતાના કવિએ-સ્વાતંત્ર્યનું ગીત લલકાર્યું. પરંતુ કવિને એક એક શબ્દ અજયપાળના અંતરમાં રેષને આતશ પ્રગટાવી રહ્યો. એ ક્રોધથી ધમધમી ઊઠયો. એણે આજ્ઞા કરીઃ “મંત્રી ! આ રાજદ્રોહીને એવું મત આપો કે જે સાંભળીને ભયંકર ખૂની પણ કંપી ઊઠે. જલ્લાદને હુકમ કરો કે ધગધગતા તવા પર આ કવિરાજને અભિષેક કરી ફળફળતા તેલથી સ્નાન કરાવેઃ મારી આ આજ્ઞાને સત્વર અમલ કરો!” રાજાની આજ્ઞા સાંભળી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. જે રાજસભામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને પડતો બોલ ઝીલી લેવામાં રાજા અને પ્રજાજને પિતાનું અહોભાગ્ય માનતા, તે જ રાજસભામાં એમના પરમ શિષ્યનું આવું કમકમાટીભર્યું મૃત્યુ ! મહાકવિ તે મરજીવા બનીને જીવન અને મૃત્યુને તરી ગયા હતા. જલાએ એમનું કામ પૂરું કર્યું; મહાકવિ અમર બની ગયા! કઈ સભાજન એ દશ્ય ન નીરખી શક્યો. કેઈ વાણી એ વેદનાભર્યા દશ્યને ન વર્ણવી શકી. સૌનાં અંતર કકળીને એક જ નાદ ગુંજી રહ્યાં નમ. શત્તાય તેન–એ તેજસ્વી મહાકવિને નમન હો! - સૌ કારમી વેદનાની મૂચ્છમાંથી જાગ્યા ત્યારે જાણે મહાકવિને સ્વસ્થ આત્મા પિકાર કરી જગતને પૂછતા હતાઃ પરાકાષ્ઠાએ કેણુ પહોંચ્યું? પાપીનું પાપ કે સતિયાનું સત? * स्वतन्त्रो देव ! भूयासं सारमेयोऽपि वर्मनि । मा स्म भूयं परायत्तत्रिलोकस्यापि नायकः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy