SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ રત્ન લેખક શ્રી સુરેશ ગાંધી યુવાન વયે મગધની ગાદીએ આવેલ રાજા શ્રેણિક પિતાના નવા ગઠિયાઓ અને વાહવાહ કરનારા સામંત-સરદારોના રંગમાં રંગાઈને વ્યભિચારી અને વ્યસની બની ગયું હતું. નવવસંતનાં ફૂલોએ જ્યારે ફાગણ પર પ્રેમનો અભિષેક કર્યો અને વારાંગનાઓએ એમના મધુર કંઠે બિહાગ રાગ છેડી દીધે, ત્યારે શ્રેણિકે એના ગઠિયાઓને કહ્યું : “આજ તો બોરસલીની ગંધથી યૌવનનું પાનેતર ભીંજાઈ ગયું છે. મલય પવનના હિલોળે ચંચલ મન ડોલી ઊઠયું છે. ચાલે શિકારે જઈએ.” અને એ ચાંદની રાતે શ્રેણિકની ટોળી વેણુવનમાં તૂટી પડી. મૃગલાં અને બીજાં જે પશુઓ હાથ આવ્યાં એમને મારી મારીને ધરતીને લાલ લહીથી રંગી દીધી! પણ શ્રેણિકને મન હજુ શાંતિ નથી. જૂઈની સુગંધથી પાગલ બનેલા ભમરાની જેમ એ વિહવળ થઈને ચારેકોર ઘૂમી રહ્યો છે. ગોઠિયાઓની નજર ચુકાવી એણે રૂપની લાલસા છિપાવવા પિતાને ઘોડે દેડાવી મૂક્યો. એને એના ગુપ્તચર એ બાતમી આપી હતી કે દૂર એક ખેતરમાં એક ખેડૂત ઝૂંપડી બાંધીને ખેતી કરે છે અને તેની યુવાન પુત્રીને કામાંધ શિકારીઓની નજરથી બચાવી રહ્યો છે. મધરાતે જઈ શ્રેણિકે ખેડૂતની ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. ખેડૂતની યુવાન કન્યા નંદાએ બહાર આવીને પૂછ્યું : “અત્યારે શા માટે આવ્યા છે, અતિથિ ?” યૌવનમાં હિલેળ લેતી આ કિસાન કન્યાને જોઈને શ્રેણિક પાગલ બની ગયે. એને કંઈ પણ બોલવાની ઈચ્છા થઈ નહિ. માત્ર ધરાઈ ધરાઈને એ એનું રૂપ જેતે રહ્યો. શરમાઈને નંદા અંદર ચાલી ગઈ ત્યારે જ એને ભાન થયું કે વસંતે ધરતી પર ફૂલનાં પગલાં મૂક્યાં છે અને કેસૂડાના રંગે એનું પાનેતર રંગાઈ ગયું છે. ઝૂંપડીની અંદર જઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy