SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આજના પ્રતિભાશાલી પ્રાના વિચારે શાસ્ત્ર પરંપરાથી વિરુદ્ધ જણાતા હોય તોયે તેથી ન ભડકતાં તે વિચારેને સમતાથી વિચારવા ઘટે; અને, ઠીક લાગે છે, સત્યશોધકની હેસિયતથી તે વિચારોને પોતાની વિચારપૂજીમાં ભેળવવા ઘટે. કોઈના પણ વિચાર એટલે અંશે યુક્ત–ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી ઘટે. એ સત્યપૂજા યા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે. સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને હિતાવહ છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ; ઉથલાવવા જાય તે તે પિતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહેરાની બહારહોય તેની સામે તો વિરોધ કરવાની શક્યતા જ ક્યાં છે? તેવી બાબતમાં ગમ ન પડે તેયે ચુપકી જ રાખવી પડે. પરંતુ બુદ્ધિવિરુદ્ધ હોય (બુદ્ધિ વાંધો ઉઠાવે) એવું, લોકહિતવિરુદ્ધ હોય એવું તત્ત્વ શાસ્ત્રથી (શાસ્ત્ર કહે છે માટે) માની લેવાય નહિ. બૃહસ્પતિ સ્મૃતિમાં કહ્યું છે : केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥ અર્થાત કેવળ શાસ્ત્રને આધાર લઈ નિર્ણય કરી શકાય નહિ; કેમકે જે વિચાર યુતિવિરુદ્ધ હોય તેને અનુસરવાથી ધર્મની હાનિ થાય છે. અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશંસનીય છે, પણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મજા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જેન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, બૌદ્ધત્વ યા વૈષ્ણવત્વના વિશુદ્ધ આદર્શ મુજબ જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરો જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે; કેમકે જે સમજપૂર્વક સન્માર્ગની દીક્ષા અંગીકાર કરે છે તે એ માર્ગની પરંપરામાં કસ્તર–કચરા જેવું જે આવી પડેલું હોય તેને ખસેડવાને વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્વને દૂર કરી પિતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે. જૈન, બૌદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનોવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગજુદા જુદા માર્ગગામી–બને છે, પણ જે વિવેક દષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણ કામનાવાળા હોય તો તેઓ, સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવવા છતાં, વસ્તુતઃ એક જ કલ્યાણ માર્ગ પર વિહરનારા હોય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજજને ખરેખર, એક જ માર્ગને સહપ્રવાસી છે. વૈષ્ણવ જન તે તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.” –એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં બતાવેલા નૈતિક સગુણ જેમ વૈષ્ણવ થવા માટે આવશ્યક છે, તેમ બૌદ્ધ કે જેન થવા માટે પણ આવશ્યક છે. અતઃ એ સગુણને ધારણ કરવા એ જ જે સાચું વૈષ્ણવથવાપણું, બૌદ્ધથવાપણું અથવા જૈનથવાપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy