SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૯૩ ન એમના કુટુ અનુ` મૂળ વતન સારઠમાં જામક`ડારણા. ત્યાંથી ધંધા માટે એમના પિતાશ્રી માંગરોળ આવીને રહ્યા. એમના જન્મ વિ. સં. ૧૯૨૧ના પાષ સુદિ સાતમે માંગરોળમાં થયા હતા. એમની જ્ઞાતિ વીસા શ્રીમાળી. માંગરાળમાં ન ફાવ્યુ` એટલે એમના પિતાશ્રી શ્રી મૂળજી ઉકાભાઈ મુંબઈ ગયા; અને દેવકરણભાઈ જૂનાગઢ પાસે એમના મેાસાળ વણથલી ( સારઠ)માં રહ્યા. ત્યાં દસ વર્ષની ઉંમર સુધી રહીને ત્રણેક ગુજરાતી જેટલે અભ્યાસ કર્યાં. પછી તા ભણવાના ભાગ્યયેાગ ન લાગ્યા અને ઊલટુ ભાગ્ય રુડ્યું હાય એમ પિતાજીનું અવસાન થયુ'! કુટુંબને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઊભી થઈ; અને માટાભાઈ હરજીવનદાસ ઉપર બધી જવાબદારી આવી પડી. દેવકરણભાઈને પેાતાની જવાખદારીના ખ્યાલ આવતાં વાર ન લાગી. ભલે ભણતર સાવ ઓછું મળ્યું હતું, પણ હૈયાઉકલત અને હિંમત પૂરી હતી : માત્ર બાર વર્ષની વયે, કુટુંબની આનાકાની છતાં, દરિયામાગે તેએ મુંબઈ પહોંચ્યા. એમના માટાભાઈ હરજીવનદાસ પણ મુંબઈમાં જ હતા. માંગરોળથી વહાણમાં મુંબઈ પહેાંચવાના એ વખતે ફક્ત આઠે જ ના થતા ! નોકરી તે મળી શકે એમ હતી પણ નાકરી કરનારનું ભાગ્ય વેચાઈ જાય છે: ઉંમરે નાના દેવકરણ આ વાત સમજતા હતા. એણે ટાપીની ફેરી શરૂ કરી. મહેનત કરવાની તૈયારી હતી અને ગ્રાહકને રાજી રાખવાની આવડત પણ હતી : ફેરીના ધંધા સારી રીતે જામ્યા. એવામાં હરજીવનદાસના શેઠ લક્ષ્મીદાસનું ધ્યાન દેવકરણ તરફ ગયું. એમના કહેવાથી તેઓ એમની કાપડની દુકાનમાં જોડાઈ ગયા, અને જોતજોતામાં બધા જાના નારાથી આગળ વધી ગયા. સિદ્ધિ માટે ઉંમર નહીં પણ અક્કલ જોઈએ. પણ આ જીવ કઈ નાકરીના ન હતા. એમની સાથે શ્રી નારણદાસભાઈ પણ એ જ પેઢીમાં નાકરી કરતા. જ્ઞાતિએ લુહાણા હતા, અને વેપારમાં કામેલ હતા. બન્ને ખાખરિયા મળ્યા એટલે એમનામાં સ્વતંત્ર ધંધા ખેડવાની હિંમત આવી. વિ. સ’. ૧૯૪૪માં એમણે દેવકરણ નારણદાસની પેઢીના નામથી ગામઠી કાપડના વેપાર શરૂ કર્યાં. આ દરમ્યાન વિ. સ. ૧૯૪૩માં, ૨૩ વર્ષની ઉંમરે, વણથળીનાં શ્રી પૂતળીબાઈ સાથે એમનાં લગ્ન થયાં. ધમ તરફની રુચિ પહેલાંથી જ હતી, અને નીતિ-પ્રામાણિકતાથી વેપાર કરીને ગ્રાહકને રાજી રાખવાના નિયમ હતા. એમની પેઢીની ખ્યાતિ અને સંપત્તિ વધવા લાગી. અને છતાં એમનું જીવન તે! એવું જ સાદું, નિળ અને નિરભિમાની રહ્યું. આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં જૈન મુનિરાજે મુંબઈમાં જતા જ નહીં. વિ. સં. ૧૯૪૭માં તપસ્વી અને જ્ઞાની મુનિ શ્રી મેાહનલાલજીએ પહેલવહેલાં મુંબઈ પધારીને જૈન શ્રમણેા માટે મુંબઈ ના વિહાર ખુલ્લા કર્યાં. શ્રી દેવકરણભાઈ ને એમનેા સત્સંગ ખૂબ ગમી ગયા. તેએ એમની દિલ દઈને સેવા કરવા લાગ્યા. એક દિવસ એ સેવાથી લાગણી વશ બનેલા એ સંતપુરુષનું અંતર ખેાલી ઊઠયું: “બચ્ચા, તેરા કલ્યાણુ હેાગા !” અને સાચે જ, આ સંતની અંતરની વાણી ફળી એમની ખૂબ ઉન્નતિ થઇ, એટલુ જ નહી, પણ જ્યારે બધા વેપારી ઉપર મંદી ફરી વળી ત્યારે પણ શ્રી દેવકરણ શેઠની પેઢી મુસીબતમાંથી ખચી ગઈ. અને પછી તેા એમની પેઢીની નામનાથી અનેક મિલેાની એજન્સીએ પણ એમને મળી. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy