SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા બેઠવી, સ્નેહ સંમેલન યોજી, ફિલ્મ શો બતાવી, ચર્ચાસભા તેમ જ મિલન-સમારંભો કરી આ મંડળના સભ્યોએ એકબીજાની નિકટ આવવાને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.” અત્યારે શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી યુનિયનના પ્રમુખ છે, અને શ્રી મગનલાલ ભગવાનજી શાહ તથા શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ એના મંત્રીઓ છે. યુનિયનના બંધારણ મુજબ યુનિયનના જે સભ્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય હોય તેઓ અધિકારની રૂએ યુનિયનની વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગણાય છે. ખર્ચ માટે સંચાલકોની ખબરદારી સંસ્થાના વહીવટમાં બિનજરૂરી ખર્ચ ન થાય અને એની આવક–ખર્ચની સમતુલા બરાબર સચવાઈ રહે એ માટે સંસ્થાના સંચાલકે શરૂઆતથી જ કેવા ખબરદાર રહેતા હતા એનું સૂચન નીચેનાં ત્રણેક લખાણે ઉપરથી પણ મળી રહે છે – આ વર્ષે આ રિપોર્ટ જેમ બને તેમ નાનો કરવાનો તમારી મેનેજિંગ કમીટીનો ઉદ્દેશ છે. અત્યારે છાપવાનાં સર્વ સાધન એટલાં મોંઘાં છે કે અનિવાર્ય કારણ વગર એક પંકિત પણ ફોકટ છપાવવી પાલવે તેમ નથી. અને ટૂંક ભંડોળ પર ચાલતી સંસ્થાએ તો ખાસ કરીને નકામો વ્યય ન જ કરવો જોઈએ.” (પાંચમો રિપોર્ટ, પૃ. ૬) “આ વર્ષે અસહ્ય અને અભૂતપૂર્વે મોંઘવારી છે, તે આપ સર્વના અનુભવનો વિષય છે. ગ્ય કરકસરથી વહીવટ કરવા છતાં બજેટથી બહુ વધારે ખર્ચ થયો છે.” (પાંચમો રિપોર્ટ, પૃ. ૧૧) ચાલુ મોંઘવારીને પરિણામે ખર્ચ દર વર્ષે વધતો જાય છે. યોગ્ય પ્રકારની ચીવટ રાખી ખર્ચ કરવામાં આવે છે, છતાં વસ્તુઓની કિંમત ઘણી વધારે હોવાથી ખર્ચ વધતું જ જાય છે. દર વિદ્યાથી પ્રમાણે ખર્ચ રૂા. ૫૬૬) આખા વર્ષને સરેરાશ આવેલ છે. મેઘવારી ઉપરાંત મેડીકલ લાઈનના વિદ્યાર્થીઓને માટે ખર્ચ આવે છે તે પણ સરેરાશ ખર્ચ વધારે આવવાનું કારણ છે.” (છો રિપોર્ટ, પૃ. ૧૪) વિદ્યાલયની સ્થાપના પછીને સમય એ પહેલા વિશ્વયુદ્ધ પછીને આર્થિક ભીંસનો સમય હતો, એટલે એ વખતે ખર્ચની બાબતમાં સંસ્થા માટે ખૂબ સજાગ રહેવાની જરૂર હતી. અને વળી સમય સેંઘારતને હોય કે મેંઘારતને, જાહેર સંસ્થાના કારોબારમાં કસરને સ્થાન મળવું જ જોઈએ. કરકસર કરવામાં ન આવે અને બિનજરૂરી ખર્ચાઓ વધારી મૂકવામાં આવે તો મોટામાં મોટી આવક પણ, કાણી કાઠી ક્યારેય ભરાવા ન પામે એમ, સરવાળે ઓછી પડે અને પરિણામે સંસ્થાના વહીવટ ઉપર એની માઠી અસર થયા વિના ન રહે. વિદ્યાલયમાં આવું ન બને એ માટે એના સંચાલકો પહેલેથી જ ચેતીને ચાલતા હતા. વળી, સંસ્થાના સંચાલન અને સંસ્થાને ચલાવવા માટે જરૂરી નાણું ભેગાં કરવાને–એમ બન્ને પ્રકારને ભાર સંસ્થાના સંચાલકે ઉપર જ આવી ન પડે એ માટે તેઓ અવારનવાર સમાજને આ માટે સજાગ કરતા રહેતા હતા. આ માટે આઠમા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૫)માં મંત્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – “ઘણાખરાની વિચારણું વ્યવસ્થાપક ઉપર આધાર રાખવાની રહે છે. એમ માની લેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy