SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થન્થ વાચક યશોવિજયજીના ‘· જશ—વિલાસ ' પદસંગ્રહમાં ‘ વિશિષ્ટ જિનસ્તવનો ', સામાન્ય જિનસ્તવનનો’, ‘ તેમ-રાજુલનાં ગીતો’, ‘ આધ્યાત્મિક પદો ’, ‘ હરિયાલી’ વગેરે સંગૃહીત થયાં છે. જાતે તારક કહેવાય, પણ તરે તો માત્ર પોતે જ; કહેવાય દીનયાળ, કિન્તુ શિવમાં ભળે એકલપંડ પોતે જ; એવો પ્રભુને ઉપાલંભ વિશિષ્ટ સ્તવનોમાં આપી કવિ પ્રમત્તતાની ઊલ, એકાગ્રતાનો ઓરસીઓ, શ્રદ્દાનું ચંદનાદિની રૂપયોજના પણ કરે છે. આવાં ૩૯ પદો ઉપરાંત ૯ ‘સામાન્ય સ્તવનો 'માં પણ કર્મરૂપી ભુજંગથી છૂટવા વિરતિમયૂરીની પ્રાર્થના છે, દૂરના સુરતરુ કરતાં છાંય આપતો લીમડો વધુ કામનો એવી વાસ્તવિક દૃષ્ટિ છે, અને · જેહ માંહિ તુજ દર્શન મિ પામિઉં, તે સુંદર કલિકાલ ’ એવી શ્રદ્દા દુહરાવાઈ છે. પાંત્રીસ · આધ્યાત્મિક પદો'માં જ્ઞાન–વૈરાગ્ય—ભક્તિનો મર્મ કથાયો છે. એમાંના પંચમહાવ્રત જહાજના પદમાં શીલ સુકાન, ક્ષમા લંગર, સંતોષનો ‘ સહડ' જેવી રૂપકરચના છે. સાચો જૈન, સજ્જન, સાચો ધર્મ વગેરેનાં બોધક પદો ય છે. જાતે જ ભૂલ કરવી ને દેવો દોષ કર્મને ! મનની સ્થિરતા ન હોય ત્યાં યોગ શેનો ? ખાલી ભસ્મ–મુંડન-જટાથી શું મળે ?--~આવી સ્વતંત્ર તવદષ્ટિ પણ તેમાં છે. આ આધ્યાત્મિક પદોનું વિશિષ્ટ અંગ છે ‘ હરિયાલી ’ નામક પદરચના. આ ‘ હરિયાલી ’માં આરંભથી જ ગૂઢ અવળવાણીની રંગત ઊછળે છે— “કહિયો પંડિત ! કોણ એ નારી ? વીસ વરસની અવધ વિચારી. દોય પિતાએ એહ નિપાઈ, સંધ ચતુર્વિધ મનમેં આઈ. કીડીએ એક હાથી જાયો, હાથી સાહમો સસલો ધાયો. વિષ્ણુ દીવેં અજવાળું થાયે, કીડીના દર માંહિ કુંજર જાયે.’’ માત્ર અઠ્ઠાવીસ પંક્તિઓની આ પદકૃતિમાં અવળવાણીમઢ્યાં પ્રતીકોની ઓથે સંતાયેલ અર્થબોધ– વિચાર, ભાવાર્થ સ્પષ્ટ પણ કરાયો છે. ચેતના સ્ત્રી, નાનઉપયોગ અને દર્શનઉપયોગ એ પિતા, હાથી તે આત્મા, સસલો તે કર્મચેતન, મોહગ્રસ્ત ન થાય ત્યાં વિના દીવે અજવાળું, કીડી તે નિગોદ, જેવી સ્પષ્ટતા અપાઈ છે. રચનાદષ્ટિથી ય આ ‘ હરિયાલી ’ સુધડ રૂપની છે, આવી વિશિષ્ટ તો નહિ, પણ · જસવિલાસ પદસંગ્રહ'ની એક ઊર્મિંરંગી સારી કૃતિ તે નેમિરાજુલનાં સાત ગીતોની કલગી. તેમ પ્રભુને વિવાહ માટે મનાવતી હોરી રમતી નારીઓ સમજાવે છે : પરના બિન 6 પુરુષ લંડ. ’ રાજુલની પ્રેમપીડા તો લાગણીના ઘેરા રંગે વ્યકત કરાઈ છે : “નિ:સ્નેહીસ્સું નેહ જે કીધો રે, ઊંઘ વેચી ઊજાગર લીધો રે.” Jain Education International અથવા — કોકિલ ખોલઈ ટાઢું મીઠું રે, મુઝ નિ તો તે લાગઈ અંગીઠું રે; વિરહ જગાવી વિરહિણી ખાલી રે, તે પાપઈ તે થઈ ઈં કાલી રે.” કવિનાં પદોનો બીજો સમૂહ તે સાયોનો, અર્થાત્ સ્વાધ્યાયોનો. એમાં આનંદધનસ્તુતિની અષ્ટપદી કે ‘ સાધુવંદના ’ સમી કૃતિ ય મુકાઈ છે. આ વિભાગમાં · પાંચ ગણધરના પાંચ ભાસ'માં થોડું પણ ચંદન ભલું, સ્ક્રૂ કીજઈ બીજા કાઇનો ભાર કે ?’ જેવું અનુભવકથન છે. જૈન દૃષ્ટિએ અઢાર પાપો વર્ણવતી સઝાય બોધક કૃતિ છે. ૧૯ ઢાલની · શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત' સજ્ઝાયમાં કવિ કહે છે : “વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય, હે મિત્ત ! મન માંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિકલ જાય, હે મિત્ત !’’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy