SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ આનંદ પ્રવચન દર્શન માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગ હાથ અંદર ખેચી લીધો. હવે વિચાર કરો કે અગ્નિ બાળનારો છે એ વાત ગર્ભમાં પેિલા બાળકને કણ શીખવવા ગયું હતું વારુ ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું વિષયેથી સુખ અને દુઃખ માનવું એ જીવને સ્વાભાવિક સ્વભાવ છે. અનુકુળ વિશ્વમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ “વામનદ્ સર્વધુ : રાતિ સાનિ એ કમને અડધ લોક ફેરવી નાંખ્યો હતો અને તે કને ___आत्मवत् सर्वभूतेषु-सुखे दुःखे प्रियाप्रिये આ પ્રમાણે ગોઠવ્યો હતો. સાચે દ્રષ્ટા કેણુ થઈ શકે ? “તમે જેવો તમારા પોતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજન સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણું શકશે. એ વાક્ય બલવામાં ઘણું સુંદર છે પણ તcવતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે -આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ ખરેખરા દેખનારા તેઓ જ છે કે જેઓ સઘળા જ જીવોની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે. જે પિતાને આત્મા તે પરનો આત્મા, અને જે પરનો આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણું ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રા છે, આ વાત બેલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy