SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ ૩૯૩ એવાઓમાંથી પણ કેટલાકની નજર આ દેવદ્રવ્ય ઉપર ગઈ કે જેથી શ્રાવકોને છેડવા ન પડે. દેવને અંગે આવતી આવકે ધારીએ ત્યાં લઈ જવાય એવું ધારી આ નવું તૂત ઊભું કર્યું. એ આવક સાધારણમાં લઈ જવાય પછી શ્રાવકને કહેવું ન પડે. શ્રાવકે પણ સમજ્યા કે આ તે ઠીક છે, આપણે પણ સે–પચાસ ખર્ચવા પડે છે તે બચશે ! પરબારું ને બાર !!! દેવદ્રવ્યને ધક્કો મારીને આ સ્થિતિ કરવામાં આવે તેની ગતિ શી ! દેવદ્રવ્યની આવક ભાંગનારાઓ ભવાંતરમાં બુદ્ધિહીન થવાના, ધર્મ પ્રાપ્તિ તેઓ માટે મુશ્કેલ થવાની અને પરિણામે દુર્ગતિમાં રખડવાના. ભાવપ્રધાનધર્મ” એમ કહેવાને આ શય વિશુદ્ધ હોત તો ઠીક, પણ ઉપર પ્રમાણે વિપરિત છે. દેવદ્રવ્યની લાગણીને અંગે લોકે જે બેલીથી બોલે છે તે લેવું છે અને કામ પોતાનું કાઢવું છે. એમાં કઈ દાનત છે? સંઘ દેવદ્રવ્યને માલિક નથી; ટ્રસ્ટી છે. ટ્રસ્ટીને ફેરફાર કરવાનો કશે હકક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રી જિનપ્રસાદ –દેવદ્રવ્યને વેડફી નાંખવાની આશાતના થાય તેમાં દેવ બોલે નહિ, પણ દેવની આશાતના બાળી નાખે ! ભક્તિધર્મમાં દ્રવ્યની પ્રધાનતા પૂજા વગેરેમાં ઘી બોલાય છે તેને અંગે જે એમ બોલે છે કે જૈનદર્શનમાં દ્રવ્યને સ્થાન નથી: દ્રવ્યવાન લાભ લઈ શકે એ ક્રમ શા માટે ?” તે વચન વ્યર્થ પ્રલાપરૂપ છે. અરે ! શ્રી જિનેશ્વરદેવને અભિષેક પણ ઇદ્રો જ કરે છે ને ? તેમાં પણ કેમ તે છે ને ? પહેલાં બારમા દેવલોકન ઇંદ્ર અભિષેક કરે, પછી દશમા દેવલોકના ઈદ્ર કરે, પછી આઠમાને કરે. એમ કમ તે એ વખતે પણ છે. શ્રી ઋષભદેવજીની ચિતામાંથી અંગોપાંગ દેવતાઓ લઈ ગયા, દાઢાઓ પણ દેવો લઈ ગયા : વ્રતધારી શ્રાવકને રાખ પણ મુશ્કેલીથી મળી, જેઓ એમ લે છે કે –“ઋદ્ધિમત્તાને અંગે ધર્મમાં ફરક નથી. તેઓના હૃદયથી
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy