SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ ૩૯ ** * ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, અને વૃદ્ધાદિ મુનિને માટે આહારાદિ. કેમ લેવાય છે? એ આહારાદિ ધર્મને આશ્રીને લેવાય છે. સર્વ મુનિવરેની હૈયાવર પણ આત્મધર્મ છે. અને તેથી જ આહારાદિ લેતી વખતે પાર્થની પરિણતિમાં ફેરફાર થાય તો દોષ લાગે. શ્રીમંતને કે ગરીબને અપાતા ધર્મોપદેશના સ્વરૂપમાં ફરક નથી. કેઈ આબરૂદાર કે મોભાદાર ગૃહસ્થ પાછળથી આવે અને તમે તેને આગળ બેસાડે તે તેમાં તમારી અને તેની બંનેની શોભા છે. પોતાની મેળે એ આગળ આવીને બેસી જાય તો તેને પણ શેભા રૂપ નથી અને તમને પણ શોભા રૂપ નથી. તમે કદી એમ ધારે કે પાછળ બેસી જાય તો ઠીક. વ્યાખ્યાનમાં વળી નાના–મેટા શા? ભગવાનના સમવસરણમાં વળી નાના–મેટાને ભેદ છે? આવું વિચારનારાએ શાસ્ત્રને સમજ્યા જ નથી. સમવસરણમાં પણ શ્રેણિક રાજા અને ઋદ્ધિવાળા વગેરેને આગળ આવીને બેસવાનું હતું કે નહિ ? પ્રતિકમણની મંડળીમાં આચાર્ય મેડા આવે ત્યાં સુધી બીજાઓ. કાઉસ્સગ્નમાં ઊભા રહે છે. સદ્ધિમાન કે રાજા વગેરે કઈ વાર આવેલ હોય તો તેને ધર્મોપદેશ આપવાને માટે આચાર્ય મહારાજ બેટી થાય છે. કદાચ શંકા થાય છે પૂર્ણ એટલે ચકવતી આદિ તેઓને પૂર્ણ એટલે જેવી રીતે ધર્મ કહે તેવી રીતે તુચ્છ એટલે દરિદ્રી આદિને. કહેવાને છે. ધર્મ કહેવાની બેય માટે સરખાવટ છે. શ્રીઆચારાંગસૂત્રકાર ગણધર ભગવાને ધર્મકથન માટે બેય માટે સરખે નિયમ રાખ્યું. તી પછી પ્રતિકમણુનો વખત વીતી જાય છતાં રાજાદિકને ધર્મ સંભળાવવા આચાર્ય ખેટી શા માટે થાય ? એ પણ પ્રશ્ન છે કે ઉદ્ભવશે, પણ જેઓને આગળ-પાછળ વિચાર ન હોય, માત્ર શબ્દને જ વળગે, રહસ્ય ન સમજે તેઓને જ આ પ્રશ્ન થાય, તેવાઓ આને ભૂલ ગણવા પણ તૈયાર થાય. કેટલીક વખત જમાઈ અને દીકરાનું નામ એક હેય અને દેવદત્ત
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy