SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ આનંદ પ્રવચન દર્શન પરિણતિજ્ઞાનની આવશ્યકતા છે. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા હોય, તેમના સર્વપણાની પ્રતીતિ હોય, તેમના શાસનને શિરસાવં માનતે. હેય, તેવાને જે જ્ઞાન તે પરિણતિરૂપ ગણાય છે. તમારા કેઈની પાસે લાખ રૂપિયા લેણા છે, પતતા નથી, કેર્ટમાં દા માંડે, હુકમનામું થયું, ત્યારે કેટલે આનંદ થાય છે ? હુકમનામું થતાં કાંઈ પસા હાથમાં આવ્યા નથી. પિસા હાથમાં આવવાને હજી વાર છેઃ હુકમનામું બજાવશે અને મળશે ત્યારે પૈસા હાથમાં આવશે, પણ આનંદ તે હુકમનામું થતાં જ થાય છે. તે રીતે પરિણતિજ્ઞાનથી પણ આનંદ થઈ જાય. પતામાં કેવળજ્ઞાન છે એવું ભાન થાય ત્યારે જ કેવળજ્ઞાનને નડતાં વરણ દુર કરવાની ભાવના જાગે, એ પરિણતિજ્ઞાન છે. ડૂબતે મનુષ્ય બધું ભૂલી જાય છે, સંસારીને બાયડી-છોકરાં વગર બીજું કાંઈ નજરે દેખાતું નથીઃ ડૂબતે વ્યર્થ બાચકા ભરે છે. પરિણતિજ્ઞાનવાળાને કેવભજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. છ ખંડના માલિક ચકવતીઓએ રાણીઓને, વહાલા કુંવરને, કુંવરીઓને, કુટુંબીઓને શી રીતે દીક્ષા અપાવી હશે? એ મેહ કેમ તૂટો હશે ? પોતે શી રીતે સંચમ લીધું હશે ? તે વિચારે ! એ બધા પરિણતિજ્ઞાનને પ્રભાવ છે ! તીર્થકર, કેવલી, ગણધર અને વિશિષ્ટ જ્ઞાનીના વિરહકાળમાં વિરવચન આલબનભૂત છે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy