SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આગમ દ્વારકે પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યનો મૂળભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવતેએ સૂત્રબદ્ધ કરી ગૂંથી તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ શૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી. આ આગમિક મહાપુરુષોની પરંપરામાં વીસમી સદીમાં આગમેદ્રારક પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ નું નામ ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમ ગ્રંથનું જીવનભર સંશોધન કરી, સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલીલોથી યુક્ત શાસ્ત્રીય વિષયેનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગમોની ચાવીઓ સમાન પ્રવચને આપી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો. પૂજ્યશ્રીનાં આવાં તાવિક અને સાત્વિક પ્રવચને તેઓશ્રીના શિષ્ય–પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંનાં ઘણું આજે મળતાં નથી અને કેટલાંક અમુદ્રિત પણ છે. અનેક તત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠ્ઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમદ્વારકશ્રીનાં તમામ પ્રવચનને પુનઃમુદ્રણ કરવા શ્રી આગમાદારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા માટે નીચેની રોજનાઓ મૂકવામાં આવે છે. સંસ્થાન ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર : 2721 (Bombay) છે.] રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્ધારક” કહેવાશે ને તેમને ફેટે પુસ્તકમાં મૂકવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન તેમને ભેટ અપાશે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy