SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રવચન દર્શન કરો કે આપણી દશા શી થશે? તીર્થકરની મૂર્તિ બનાવાય છે તેમાં -ભગવાન શ્રી તીર્થકર ભગવાન ક્ષે ગયા હોય તે વખતના આકારે જ લેવાય છે, બીજા નહીં, અર્થાત્ ભગવાનની જે ઊંચામાં ઊંચી અને છેલ્લામાં છેલ્લી દશા જે અનુકરણીય છે, તે જ દશા, તે જ આકાર ભગવાન શ્રી તીર્થંકરદેવની મૂતિમાં લેવાનું છે. ભગવાન શ્રી તીર્થકરદેવની મૂર્તિમાં કર્યો આકાર લેવા છે અને તે કઈ વખતનો આકાર લેવાય છે અને તે જ આકાર પ્રતિમાજીને માટે શા માટે માન્ય ૨ ખવામાં આવ્યા છે એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે. ભગવાન શ્રી તીર્થંકરદેવે બે જ આકારે મેક્ષે જાય છે અને તેથી જ તેમની પ્રતિમા માત્ર બે જ પ્રકારની હોય છે. જેઓ સિદ્ધ થાય છે તેવા આત્માઓની બાબતમાં આસનનો નિયમ જ નથી. સિદ્ધો અનેક પ્રકારે મોક્ષે જાય છે. સિદ્ધ સ્વરૂપમાં - આત્મા રહ્યો તે સિદ્ધપણાની મૂર્તિને કેઈપણ સ્થળે સ્થાન જ નથી. સિદ્ધો કે અરિહંત ભગવાને જે સમયે માનવદેહમાં હતા, તે જ સમયની તેમની સાકારાવસ્થાની જ મૂર્તિ બનાવવામાં આવી છે. આપણી મૂર્તિઓ, એ નિરંજન નિરાકારની મૂર્તિ નથી, પરંતુ સાકારાવસ્થાની જ મૂર્તિ છે. આપણે એવું સહેલાઈથી કહી શકીએ છીએ કે જેઓ પમે- ઘરને નિરાકાર માને છે, તેવાઓને ઈશ્વરની મતિ બનાવવા અધિકાર નથી. સાકારાવસ્થામાં મલિનતા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. અનુકરણ કેવું જોઈએ? અજૈન શાસનએ મૂતિ કરી પરંતુ તે એવી બનાવી દીધી કે આત્માના અનુરાગીઓને તે જોવાને પણ લાયક ન રહી. ઈશ્વરની સતિ બનાવી તે સાથે સ્ત્રી પણ ગોઠવી. હવે નીતિશાસ્ત્ર તે સાફ કહે છે કે જેને બ્રહ્મચર્ય પાળવું છે અથવા જેને સંન્યાસ પાળવો છે, તેવા સન્યાસી અને બ્રહ્મચારી બંનેને સ્ત્રીની પ્રતિમા નિહાળવી હરામ છે. આ રીતે સંન્યાસી કે બ્રહ્મચારી માટે તે પ્રતિમાપૂજા અરે ! પ્રતિમાદર્શન કરવું એ જ હરામ ઠરે !
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy