SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અનર્થનું મૂળ ४६९ શત્રુ હાથમાં લીધો છે, તેને આખી દુનિયા શત્રુ હોય તો તેને હઠાવવા તૈયાર. ચકરત્નમાં એક અપલક્ષણ કર્યું છે? ઘરને તે પક્ષપાત કરે, ગાત્રને મનુષ્ય વિરોધી હોય, આજ્ઞા ન માને તે ત્યાં ચકરત્ન ચૂપ રહે, પણ સામાયિક રૂપી ચકરત્ન પુદ્ગલ પર આત્મા ઓળખાય તે તેની ઉપર પણ જય મેળવે. સામાયિક આત્માને અવળો ન થવા દે, કુટુંબ અવળું થાય તો ચકરત્ન સૂપ, ભરત, બાહુબલજી બાર વર્ષ સુધી લડયા. લેહીની નીક વહેવડાવી. આવા વૈરની વખતે ચકરત્ન ચૂપ રહ્યું. જ્યારે આ સમતા–સામાયિકરૂપી ચકરત્ન પરને અને સ્વને પણ પિતાનું પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભરેસે ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિક તે સારું એમ કહે, જેને ભરોસે હોય તેને ગમે તેટલા શત્રુ હોય તે પણ એક પંડ બસ છે. સનકુમારની કથામાં યક્ષે, રાક્ષસે લડાઈમાં ઊતરી પડયા. ત્યાં એકલા ચકવર્તીએ ખડે કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત. જાત મહેનત ઝીંદાબાદ. તે સૈન્યની સજાવટ ન ગણે, પંડનું જ પરાક્રમ ગણે. તેમ અહીં સામાયિકવાળા આત્મા. પંડના પરાક્રમવાળો હોય, તેથી ગમે તેટલું સૈન્ય આવે છતાં તેને પરાભવ કરવા તે સમર્થ છે. નિયાણાને નિષેધ કર્યો, છતાં કેટલાક સાધુઓ આ સંસારથી ત્રાસ પામી ગયા હોય તે બોલે કે “મારે મારા માર્ગે જવું તેમાં આ માથાકુટ શી? માટે આ માથાકૂટ આવતે ભવે જોઈએ નહિ.” આવું નિયાણું કરનાર ચારિત્ર પામે, પણ કેવળજ્ઞાન ન પામે. સામાયિકરૂપી ચકરત્નને ભસે ન રહ્યો, તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનારે સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ, તત્વનું સ્વરૂપ સમજે, આત્માનું અવ્યાબાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપંચ કર્યા હોય તેને અંગે રોવું આવે “તારા અને વિક્રમામિ અg સિરામિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા, તેને કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાંની દશા શરમાવનાર થાય, તેમ સામાયિકમાં ચઢેલો આત્મા,
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy