SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^^ annnnnarnarmann અનર્થનું મૂળ ४६७ કલેશ કરતું હતું, તે જ છોકરો સમજે તે વખત પોતાની પેટી પિોતે ખાલી કરી કાચને ફેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દશા સમજે તે વખતે ચૌદ રાજલોકનું ઈંદ્રપણું મળ્યું હોય તે તે બધું ફેંકવાલાયક તે ગણે. પૈસાને ખાતર પેશાવર જઈએ છીએ, તે ચકવર્તીએ છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છોડયાં હશે? એક લાખ બાણું હજાર સ્ત્રી ત્યજે તે સમજુ બનીને. શાણા બનેલાએ ફેંકેલા હીરા બીજા અણસમજુ તે તેને લૂંટની મિલકત જાણે. કાચના કટકાથી પેટી ભરનારા ચુકવતી સરખા છ ખંડ વગેરે ત્યજે તે વખતે બીજા કોને આશ્ચર્ય લાગે ? જે પુગલના પણ થઈને પોષાતા હોય તેને આશ્ચર્ય લાગે, પણ આત્મારામના અતિથિઓને તે તે સ્વાભાવિક લાગે. નાને છેક નાના કાચથી ભરેલી પેટી જોઈને ખુશ થાય, પણ ઝવેરીને તે તેથી કાંઈ નહિ, આત્મારામના અતિથિને તે ચક્રવતી છે ખંડ વગેરે ત્યજે કે ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યજી દે તેનું કાંઈ નહિ, ત્યારે માલુમ પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલો કાળ અટવાયા ? બધો કાળ, અનંતા પુદ્ગલપરાવર્ત. આ કાળ કાચના કટકાની કેળવણમાં કાઢો, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, તેથી દયા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હીરે માનનારે હાર્યો કે વાયે ન રહે. પુદ્ગલની બાજી કાચના કટકાને હીરા બનાવીને બેઠી છે. તેમ આ જીવ શુદ્ધ માર્ગમાં ન આવ્યા, ત્યાં સુધી પગલિક વૃદ્ધિમાં હર્ષઘેલા થાય ને હાનિમાં હડકાયે થાય. કાચના કટકાને કચરો સમજણથી જ સરકાવાય, તેમ નહીં પણ જીવ પદ્દગલિક પદાર્થોને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યો કે વા રસ્તે આવે તેમ નથી. તે સમજણમાં આવે તે પૌગલિક પદાર્થોને સરકાવી દે છે, એક એકને ઊંચાનીચા ગણે નહિ. એ કાચના કટકાની કિંમત ન હોવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની તેને કિંમત નથી. સમજણો થયો ને છેડે તેની કિંમત છે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy