SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જીવજીવન અને જડજીવન ૪પ૭ હોય તે તેને ઢોંગી, લુચ્ચો કહી દઈએ છીએ! જમાઈ હોય તે તેને કહો છે, “બે દહાડા જમી જજે પણ પૈસા પૈસાની વાત ન કરશે.” વિચારશે તે જણાશે કે શાસ્ત્ર અને અનાથની જડ કહે છે. રાગી દોષને દેખતા નથી. તમને પૈસા તરફ એવી વિચિત્ર રાગ-દષ્ટિ થએલી છે કે પૈસા માટે મા સાથે, બાપ સાથે, બાયડી સાથે લડવા અને દરિયામાં ડૂબકી ખાવા તૈયાર છે. આટલી રાગ દષ્ટિ જેને પૈસા ‘ઉપર છે, એ મનુષ્યને પૈસા અનર્થનું મૂળ છે, એ કેમ ધ્યાનમાં આવે? જ જરૂતિ ની વાન, જે પિસાને પરમેશ્વર તરીકે માનનારા છે -તેણે દેરાસરના પરમેશ્વરને આઘા મૂકયા છે. અંતઃકરણના પરમેશ્વરને કંઈ પણ બાધ આવે એ ન પાલવે. એ વખતે દેરાસરના પરમેશ્વર પર પ્રીતિ રહે છે? કયા પરમેશ્વર પર પ્રીતિ રહે છે ? અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારે. સાર અને અસારના મુકાબલામાં સારને હણ કરે. અહીં શ્રદ્ધાની ખબર પડે. જેના ઘરમાં ચોરો પિોટલા બાંધે છે. છતાં જેનું એકપણ રૂંવાડું ‘ઊંચું થતું નથી. આ ધારણાઓ શી રીતે રહી શકે? એક જ હતું તેમને પેલા દેરાસરના પરમેશ્વર હતા. સુલસાની પાસે દેવ આવ્યો. જે વખતે ૧૪૦૦ નવ દીક્ષિતો ભગવાન મહાવીર સ્વામીને હતા. ગૌતમસ્વામિને પ૦૦૦ હતા. આજ તે પાંચસો સાધુઓ છે. તે વખતે અશન, પાન, ખાન વગેરેની મંત્રણને વિધિ કર્યો. બે સાધુ લક્ષપાક તેલ લેવા સુલસાને ત્યાં આવ્યા. સાધુએ ગૃહસ્થને ત્યાં વગર જેએલી વસ્તુ ન માગવી. છતાં ઔષધ ભેષજ હતું તેથી લક્ષપાક તેલ માગ્યું. એક લાખ રૂપિયાનું તે લક્ષપાક તેલ છે. સુલસા એક સીસે લાવે, એટલે દેવતા ફેડી નાખે. આ વખતે મનને પૂછી જોઈએ. અકમી દૂધ લેવા જાય તે ભેંસ મરી જાય એવા સાધુ છે કે તેમને તેલ આપવા જતાં આ શીશે ફૂટી જાય, અને એક જ વિચાર થાય છે, ઢળાઈ ગયું પણ બીજો વિચાર થતું નથી. આ શુદ્ધ પાત્ર, શુદ્ધ બીજ, શુદ્ધ વસ્તુ છતાં ' મને લાભ ન મળે. આવા મનના મોતીના ચેક તો પૂરી જાઓ. :
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy