SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંગ્રહમાં અભયકુમારને મહાવીરે દીક્ષા આપી તેથી શ્રેણિક રાજાને કેટલું બધું સહન કરવું પડયું, કેણિકે કે ભયંકર ઉત્પાત મચાવ્યો ઈત્યાદિ પાપના ભાગીદાર જાણે મહાવીર ન હોય એમ રજૂઆત કરી, એને સચેટ રદિયે આગમે દ્ધારકે આપ્યો છે, અને સાથે સાથે “સાચે ભક્ત કેને કહેવાય ? તે પણ દર્શાવ્યું છે. તીર્થકર એટલે દ્રવ્ય-દષ્ટિએ માંસના લોચા અને ભગવાનની પ્રતિમા એટલે પથ્થરને ટૂકડે એમ કહી એ બનેની વાસ્તવિક મહત્તા એમણે નિશી છે. વ્યાવહારિક બોધ–આગદ્ધારક દુનિયાદારીની બાબતથી પણ પરિચિત છે. એથી તે ટટ્ટ, વાંદરો, ઉંદર, વીંછી વગેરે કેમ વતે તેનું ઝીણવટભર્યું વિવેચન એમણે કર્યું છે. ઘરમાં કેળણ લાવી બેસાડ કેળણ”, લવાદ અને ન્યાયાધીશનાં વર્તન, વઢા અને વિધુર વચ્ચે ભેદ, શત્રુને શત્રુ તે મિત્ર, ભેળાવનારાની શબ્દછળમાં ઉસ્તાદી, કાયટિયાની મદશા, ફરિયાદી તરીકે સિપાઈ, ઘેનું વાઘરીવાડે ગમન, આસામી તૂટે તે શું ? કણબીનું વર્તન, વ્યાજના પ્રકારો, ઈત્યાદિ બાબતે પણ આ વાતની સાક્ષી પૂરે છે. અંગ્રેજી શબ્દને પ્રગ–મુસલમાની રાજ્ય દરમ્યાન કેટલાક ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં અપનાવાયા તેમ અંગ્રેજોના અમલ દરમ્યાન અંગ્રેજી શબ્દો ઘરગથ્થુ બન્યા. આવી પરિસ્થિતિમાં આગમોદ્ધારકને હાથે પોલીસ, મેમ્બરશિપ, કાર્ડ–હોલ્ડર, થિયરી ઈત્યાદિ શબ્દો વપરાયા છે, તે સ્વાભાવિક છે. | મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને–દેશના પાછળ એક જ ઉદ્દેશ રખાય છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીવોને મુક્તિને માર્ગ બતાવો કે જેથી એ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત સુખને ભેકતા બને. હીરાલાલ ૨ કાપડિયા
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy