SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પાતળા કષાયથી મનુષ્યપણું ૪૪૭ એટલે પહેલાં બેલ્યા તે જૂઠું થયું ને? તેથી તમને જૂઠ્ઠા કહ્યા છતાં તમને ગુમાન ન આવ્યું. કેમ કે ગુમાન કરે તે કેથળીમાં કાણું પડી જાય; કષાય એવા પાતળા કરવાથી મનુષ્યપણું નથી મળતું, પણ તે સ્વભાવથી મળે છે. પ્રપંચમાં તમે સમજતા હો કે આ પ્રપંચ -ગળે પડશે તો તમે શું કરે ? અકકલવાનની આગળ પ્રપંચની વાત ન કરો, પણ સીધી વાત કરો. કારણ આપણે જાણીએ છીએ કે ત્યાં ભાડે ફૂટી જશે. સ્વભાવે ક્રોધાદિ પાતળા જોઈએ. “દુર્બલના ગુનાને સહન કરે તેનું નામ પાતળા કષાય. ના વીધ મૂાન સામર્થ્ય છતાં પણ અપકારને બદલે ન લેવે પણ ત્યાં ક્ષમા આપવી. તમે હલકા કુળમાં જન્મ્યા ને બીજા હલકા’ શબ્દો કહે છે તે તમે સહન કરે, તેમાં નવાઈ નહિ. તેવી રીતે પ્રપંચમાં ને લેભમાં પણ પાતળાપણું સ્વભાવે હોય તે જ તે મનુષ્યપણાની મિલકત મેળવી આપે. જ્યારે આ ચાર માંચડા થાય ત્યારે મનુષ્યના આયુષ્યને દર થાય. જ્યારે સ્વભાવે કષાયનું પાતળાપણું થયું જાણપણે કે અજાણુ પણે, ત્યારે મનુષ્યપણું મળે. જાણે-અજાણે ખૂન કરે તે સજા થાય, તેવી રીતે મનુષ્યજીવન કેણ મેળવે ? તે ચાર કષાય પાતળા હોય તે મેળવે. મનુષ્યજીવન એ ગુલામી જીવન છે. પરદેશી સત્તાની. રૂએ ગુલામી જીવન નહીં પણ દુનિયાદારીની અપેક્ષાએ ગુલામી જીવન. પૃથ્વી વગર તમે જીવી શકે છે ? પાણી, હવા, અગ્નિ ને વનસ્પતિ વગેરેને છોડી દો અને પછી જ જોઈએ ? તે એક ઘડી પણ તમે જીવી શકે નહિ. આ જીવનમાં પૃથ્વી—વગેરેની દરમિયાનગીરી વગર આપણાથી કંઈ થાય જ નહીં. તેના અસહકારને સહન કરે તે કહેવું પડશે કે તે બની શકે તેમ નથી, પેલા ભવમાં દુઃખીઓનાં દુખે જેને દયા આવી ને તેને લીધે જે વસાવ્યું, તેને લીધે આ બધાને સહકાર મળે. મનુષ્યનું જીવન મળ્યું, પણ વ્યક્તિત્વ ક્યાં રહે? તે વ્યક્તિત્વ
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy