SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ આનંદ પ્રવચન દરાન જેઓ ઈનિદ્રાના વિષયો પાછળ દોડી રહ્યા છે તેને ધમની કિંમત નથી. નાના બાળકને આબરૂને કે કિંમતને ખ્યાલ હેતે નથી. તમે શાસ્ત્રો માટે બે કે ધર્મ ફાકડા મારવા, પીવા, ઓઢવા કે પહેરવા માટે કામ લાગે છે નાન છે પણ તેમ બોલે છે કે આબરૂ ફાકડા મારવા, પીવા, પહેરવા કે ઓઢવામાં કામ લાગે છે ? નાનું બાળક ખાવામાં ને પીવામાં સમર્યું છે. ફાકવાને સસ્કાર એટલે બધે પડે છે કે નાના છોકરાને ચાટવું બતાવે છે તે પણ ચાટવા જાય છે. તેવી રીતે વસ્ત્ર વગેરે ગમે તે ચીજ બતાવે તેને પણ તે ચાટવાની મહેનત કરે છે. એને લત જ ખાવાની પડી છે ફાકવાવાળાને અને પીવાવાળાને આબરૂની કિમત ન લાગે. તેમ ધર્મ પહેરવાઓઢવાના કામને નથી. તે પછી તે શા કામને ? જેઓ ઈન્દ્રિયના વિષયો અને મનના વિચારો અંગે દોડી રહ્યાં છે તેને ધર્મની કિમત નથી. વિષયના વિકારો અને મનના વેગથી જે દોરાયેલા નથી તે સમજે છે કે આ જિંદગીને આધાર હોય તે તે ધર્મ છે તે સિવાય બીજું કંઈ નથી. પહેલાં આપણા જન્મ પર વિચાર કરે. આ જન્મ કેની પસંદગીને માતાની ઈચ્છાને, પિતાની પ્રાર્થનાને, કે છોકરાની ઈચ્છાને? તે કહેવું પડે કે એકેના વિચારને નહિ. માતાપિતાએ રખડતે જે ને “આ જીવને કુખે કે કુળમાં લઉં, તેમ કરે પણ “આ માતાપિતા સારા છે માટે તેના ઘેર જન્મ લઉં? કેઈની ઈચ્છાને નથી. પણ જન્મ કેના લીધે થયો ? પંચેન્દ્રિયનું અખંડપણું તે કેની ઈચ્છાનું છે ? જેની નસીબદારી, તે જ મનુષ્યપણું પામે છે. * મનુષ્યપણું મળ્યું છે પાતળા કપાયથી. જગત તરફ દૃષ્ટિ કરીએ બાદશાહ અને બીરબલ ઝરૂખે બેઠા છે. ત્યાંથી કઈ દુબળે નીકળે છે. બાદશાહ બીરબલને પૂછે કે “બીરબલ ! ચે કબલા દબલા કરું હૈ.” ત્યારે બીરબલે કહ્યું કે “સાહેબ ! ખાવાનું નથી મળતું.”
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy