SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ આનંદ પ્રવચન દર્શન આવતી (ભવિષ્યની) અને ગઈ (ભૂતકાળની) જિંદગીનો વિચાર કરી શકીએ છીએ. મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે મહ્યું છે તેનું ફળ શું? મનુષ્યપણમાં વધારે એ છે કે પોતે પિતાને જાણે. પિતાને નહિ જાણવાથી અનાદિકાળથી જીવ રખડે એમાં નવાઈ નથી. આ ભવમાં આત્માને પિતે જે નથી, જાણ્યું નથી તે બીજા ભવમાં આત્માને દેખનારે કયાંથી થાય? આત્માને જણાવનારા મહાપુરૂષો મળે ક્યાંથી ? તેવી રીતે આ જીવે અનાદિથી આત્માને જાણે નહીં, તેથી અનંત ભો પૂરા કર્યા, જન્મે ત્યારથી ખોરાક લે, ખેરાક લઈને શરીર મેળવે અને જગતમાંથી જાય ત્યારે શરીરને મૂકો જાય. આ આત્માને નહોતે જાણે ત્યાં સુધી જિંદગીની મહેનત આમ જ કર્યા કરી છે. અનાદિ કાળથી સંસારમાં જન્મમરણનાં દુઃખ વેઠવાં પડયાં છે. હીરાની કિંમત ખરી, પણ હીરાને જેનારી આંખની કિંમત નહીં. તેવી રીતે અહીં ઉપાધિની કિંમત, પણ એને મેળવનાર આત્માની કિંમત નહીં, આત્માનું જ્ઞાન નથી. આત્માને અજ્ઞાનથી દુઃખ થયેલું છે, “હવે જાગ્યા ત્યારથી સવાર હવે ચેતીને દુઃખ દૂર કરો, ઠંડી લાગી હેય, હાથ અકડાઈ ગયા હોય ત્યારે અગ્નિનું સેવન, આત્માનું અજ્ઞાન ન હેત તે દુઃખથી ઘેરાત નહીં. આત્માનું જ્ઞાન કરવું જોઈએ. જે લોભ, માન, માયા થાય છે, તે વિકારો છે. સિદ્ધને આત્મા અને આપણે આત્મા એ બેમાં લગીરે ફરક નથી. એ શુદ્ધ થયેલા છે અને આપણે મલિન છીએ. મલિનતા ટાળી દઈએ તે સિદ્ધ સમાન છીએ જેવું મકાન ચણાવવું હોય તે પ્લાન કર જોઈએ. કડી ઈંટ મૂકે તે પ્લાન ઉપર જ નજર રાખે તેમ આત્માએ સિદ્ધિ મેળવવી હોય તે જે સિદ્ધિ પામ્યા હોય તેનો નકશે મેળવ, તે નજર સામે રાખ. પ્લાન ધ્યાનમાં લે તે જ મકાન તે પ્રમાણે તૈયાર થાય, તેમ સિદ્ધ મહારાજ કેવી રીતે થાય તે ઉપર આપણે પણ ધ્યાન રાખવાનું, આત્મજ્ઞાન-આત્માનું સ્વરૂપ વિચારે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy