SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરામાં ૪૨૫ માટે છે. સંસ્કારનું પ્રાધાન્ય છે, બુદ્ધિનું નથી. “ભગવાનને (ગમે) ગમ્યું તે ખરૂં એવું કેઈન મરણના કાગળમાં તમે લખે છે, તે શું ભગવાનને એવું ગમે છે? ત્યારે આવું કેણ લખાવે છે? કહે કે તેવા સંસ્કારો? જે બુદ્ધિવાદ સ્વતંત્ર કાર્યકર હેત તે એક્ય કયારનુંય થઈ ગયું હોત. લીબડાને કેઈ મીઠે નથી કહેતું, સાકરને કેઈ કડવી નથી કહેતું, કેમ કે એ સંસકાર રૂઢ થઈ ગયા છે. કહેવાની મતલબ એ છે કે બુદ્ધિ તે બિચારી સંસ્કારની ગુલામડી છે. મૂળ મુદ્દા ઉપર આવીએ. શારીરિક જ્ઞાન ન ધરાવનાર તે શું, પણ તેવું જ્ઞાન ધરાવનાર પણ બિમારી વખતે પણ શરીર વિજ્ઞાનના નિષ્ણાતેને આધીન થાય છે ! તે જ રીતે કર્મથી વિરક્ત થવા માટે આત્માએ સર્વજ્ઞના કથન મુજબ ચાલવું જ જોઈએ, મસાણે કેને જવું પડે? વૈદ્ય પાસેથી તામ્રભસ્મ લીધી, તે વાપરી પણ તેલ, મરચું ન છોડવામાં આવે તે મસાણે કે જવું પડે ? લાકડા ભેગું કેણ થાય? વિદ્ય કે દરદી ? અંતરઆત્માને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર ચીજ માત્ર શાસ્ત્ર જ છે. આગમના આધારે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરવામાં ધર્મ રહ્યો છે. આગમના આધારે પ્રવર્તે તથા નિવતે તે અંતરાત્મા. તેમ ન કરે છે, અને તેથી વિપરીત કરે તે બાહ્યાભા, જડાત્મા, જડભારથી. દુનિયામાં વૈદ્યના કથનથી વિપરીત ચાલનારને જડભારથી કહેવામાં આવે છે ને ? આ વચને સર્વકાળને જાણનાર સર્વાનાં છે. જમાને જમાને પોકારનારાએ જાણવું જોઈએ કે આ વચને ત્રણે કાળ જાણનાર શ્રી સર્વરે કહેલાં છે. અજ્ઞાનને નથી માનતા, જેને જ્ઞાનની ખબર ન પડે તેવાને નથી માનતા. આપણે તે ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર શ્રી સર્વદેવનાં વચન માનીએ છીએ. આ રીતે સમજીને જેઓ અંતરાત્મા પણ કેળવશે તેઓ અનુક્રમે આત્મસ્વરૂપને વિકસાવી શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરશે. વાસ્તવિક, સુખમય, શાશ્વત્ સુખ સ્વરૂપ સંપાદન કરશે. - - - -
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy