SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આનંદ પ્રવચન દર્શન હોય, પંચેન્દ્રિયને જીવ હોય, જ ચારે ગતિમાંથી કઈ પણ ગતિમાને છવ હોય, ચાહે તો પાંચ જાતિમાંથી ગમે તે જાતિને જીવ હોય કે ચૌદ ભેદમાંથી કેઈપણ ભેદમાંને જીવ હોય તે ગતિ, જાતિ કે ભેટને ચોગ્ય કેઈ પણ પ્રકારની ઈચ્છા હોય પણ તેના મૂળમાં તે ઇચ્છા સુખ મેળવવાની તથા દુઃખના નાશની જ છે. આવી ઈચ્છા જીવ માત્રને છે. અનાદિકાળથી છે અને તેથી અનાદિકાળથી તેની મહેનત સુખ મેળવવાની તથા દુ:ખ દૂર કરવાની હતી અને છે. આ વાતમાં કોઈ પણ મતવાળાને મતભેદ નથી. સંસારને અનાદિ ન માનનારા એટલે કે ઈશ્વરકૃત માનનારા દર્શને (દર્શનકારે) પણ જીવને તે અનાદિથી જ માને છે. જીવ અનાદિ છે માટે સુખ પ્રાપ્ત કરવાની તથા દુખ માર્ગને સદંતર નાબૂદ કરવાની તેની મહેનત પણ અનાદિની છે. જે આમ છે તે સહેજે પ્રશ્ન થશે કે, તે પછી જીવની ઈરછા ફળીભૂત કેમ ન થઈ ? અનાદિની ચાલુ મહેનત છતાં સુખ કેમ ન મળ્યું તથા દુખ કેમ ન ટળ્યું ? સુખ પ્રાપ્ત કરવાને તથા દુઃખને દફે કરવાને જીવને પ્રયત્ન કાંઈ પાંચ પચીસ વર્ષનો નથી, બસે પાંચ વર્ષથી નથી; યુગોથી નથી, પલ્યોપમાથી નથી કે સાગરોપમેથી નથી પણ અનાદિથી છે અને તે પણ ચાલુ છે. આ જીવ પ્રયત્ન વગર તે કદી રહ્યો જ નથી, રહે જ નથી, ક્ષણ પણ, ક્ષણ તે અધિક ગણાય, શાસ્ત્રકારની ભાષામાં કહીએ તે સમય માત્ર પણ આ જીવ પ્રવૃત્તિ વગર રહ્યો નથી. મન, વચન, કાયાની પ્રવૃત્તિ કાયમ ચાલુ જ હોય છે. અનાદિથી મહેનત છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ તથા દુઃખનું નિવારણ કેમ ન થયું ? સમય અને પ્રયત્નથી સુખ મળતું હેત તો આ પ્રશ્ન જ ન રહેત. આના જવાબમાં અનાદિકાળથી જીવને પ્રયત્ન છતાં ઈચ્છા બર કેમ ન આવી? કહો કે પ્રયત્ન માત્રથી કે સમયના પ્રમાણ માત્રથી ઈરછા સિદ્ધિ થતી નથી. અને જો એમ થતું હોત તો આજે આ - હેત જ નહીં. અને બધાએ સુખ મેળવી લીધું હોત. અને
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy