SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેણ? ૪૧૫ જીવોને અંગે વિરાધના કર્યા પછી યા કોઈપણ પાપસ્થાનકને આદર્યા પછી અગર તેને આદરતી વખતે આ કરવા જેવું તે નથી, પરંતુ દિલગીરી પૂર્વક ન છૂટકે કરવું પડે છે, એ હદયમાં વિચાર રાખે તે તમને બંધ છે જ થવાને. આ જ કારણથી સમ્યગદષ્ટિને જે કામ માટે બંધ ઓછો છે, ત્યારે મિથ્યાષ્ટિને તે જ કામ માટે બંધ વધારે છે. હવે કઈ એવો પ્રશ્ન કરશે કે ત્યારે પુષ્પરૂપી વનસ્પતિકાય વડે દેવતાઓની પૂજા કરીએ તે એ પૂજાથી દોષ લાગે ખરો કે નહિ ? આ પ્રશ્નને વિચારીએ. બંધ-પરિણામના આધારે ઉપલા પ્રશ્નને જવાબ બહુ જ કાળજીપૂર્વક વિચારવાનું છે. પહેલી તે તમને એવી જ શંકા થશે કે પ્રક્ષાલ કરતાં પૂજામાં પાણી વપરાય છે તેમાં અસંખ્ય જીવે છે. બીજી વાત એ છે કે ભગવાન શ્રી તીર્થકરાના જન્મ વખતે ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. દેવકુરુ અને ઉત્તરકુરુના પન્નસરોવરમાંથી ફૂલે લાવીને તેમને ઢાવવામાં આવ્યાં હતાં. તે આ સઘળા કાર્યથી વનસ્પતિકાયની વિરાધના થાય છે ખરી કે નહિ ? ઉપરના ઉદાહરણમાં શાસ્ત્રકારો દોષ હોવાની સાફ ના પાડે છે કારણ કે એ કાર્યોમાં પરિણામ ભક્તિના હોવાથી ત્યાં દોષ માનવામાં આવ્યા નથી. જે અહીં પરિણામ ભક્તિના છે, તે પછી ભગવાનને પ્રક્ષાલ કરીએ છીએ તેમાં પણ પરિણામ ભક્તિના જ છે. તે જે પ્રથમ કાર્યમાં દોષ નથી તે બીજા કાર્યમાં દોષ નથી જ એ. સ્વાભાવિક છે. - - - - - - હવે કેઈ એવી શંકા કરશે કે તે તે ભગવાનને ધર્મ મેરી તે લાપસી આર પરાઈકી મુસ્કીએ ગણી શકાય ખરો કે નહીં? નહીં. ભગવાનની પૂજા ત્યાગ મેળવવા માટે છે. ભગવાનને માટે શંકાકારે એવું કહી શકે કે “ભગવાન છકાય કજી માનતા હતા અને તેની વિરાધના કરવામાં પાપ માનતા હતા,
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy