SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જળમાં છે. ૫/૨૮ શેષ રહે તે જાણવું કે ફળ હાનિકારક છે. અને ક્રમે પૃથ્વી ઉપર છે અને જે શેષ ૩/૬/૯ રહે તે તેનું ફળ મરણ છે, અને કૂર્મ આકાશમાં છે એમ જાણવું. આમ ત્રણ પ્રકારે કુમ ફળ જોઈ આવતાં શુભ મુહુર્ત લેવાં. [૩૫] પૃથ્વી સૂની જાણવાની રીત बाण शत्य शिवा नवा तिथि न वाद्वा विंशत्रि विशका: । अष्टा विशति वासरे च शयने क्राति धस्तं व्यजेत् ।। અથ : સૂર્ય સંક્રાતિથી પ-૭-૯-૧૧-૧૧-૨૦-૨૨-૨૩ -૨૬ આ દિવસોમાં ધરતીને સૂતી જાણવી. પૃથ્વી સૂતી હોય તે દિવસે શુભ કાર્યોમાં ત્યાગ કરવો જોઇએ. એવું મૂહુર્ત માર્તડમાં જણાવવામાં આવ્યું છે. [૩૬] ભૂ-શયન વગણના ક્રમ નિર્ણય સાગર પચાંગના આધારે) સુર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી ૫-૭-૯-૧૨-૧૯-૨૬ આ દિવસના નશામાં પૃથ્વી સૂતેલી હોય છે. આ નક્ષત્રમાં ક્રમશઃ ૪-૮-૧-૩--૭ ઘડી કાળાશ માત્રમાં ભૂમિ સુતેલી હોય છે શેષ ઘીઓમાં જાગૃત હેાય છે. આ ઘડીઓમાં, કૂવા-જૂળાવ ખેડવાનું કામ, વાવેતર, હળ ચલાવાવા તે કામ કરવાથી અનિષ્ટ ફળ આવે છે. ભૂ-શયને મતાંતર કેટલાક વિદ્વાને ૫-૭-૯–૧૫-૧૧-૨૪ દિન માત્રમાં જ ભૂશયન માને છે. [૩૭] પૃથ્વીને બેઠી યા સુતી જાણવાની રીત સુદી પ્રતિપદા (સુદ એકમથી) થી તિથિ, અને રવિવારથી વાર તથા અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર ગણવાં. મુહુર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરી, તિથિ, વાર, નક્ષત્ર એ ત્રણેને મેળવી દઈને ૪ વડે ભાગવા. જે શેષ ન રહે તે જાણવું કે પૃથ્વી ઊભી છે, શેષ ૨ • વિભાગ પહેલે
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy