SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં ગુરૂ પડા હોય, તે ભાગ્યોદય ૧૬-ર૧ અને ૩૦ વર્ષે થાય છે. (૬) લગ્ન, સૂર્ય ચન્દ્રથી નવમા સ્થાનમાં શુક્ર પડયો હોય, તે ભાગ્યોદય ૧૫-૨૪ યા ૩૩ મા વર્ષમાં થાય છે. (૭) લગ્ન, સૂર્ય અને ચન્દ્રથી ભાગ્યથાનમાં શનિ બે હોય તે ભાગ્યેાદય ૧૭-૧૨ અને ૩૫ મા વર્ષમાં થાય છે. (૮) જન્મ લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં રાહુ પડયો હોય, તે ભાગ્યોદય ૨૪ અથવા ૪૨ મા વર્ષે થાય. (૯) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી ભાગ્યસ્થાનમાં કેતુ બેકો હેય તે ભાગ્યોદય ૧૭–૨૯ અને ૩૫ મા વર્ષમાં થાય છે. ઉદાહરણ (૧) મેષ લગ્ન છે. લગ્નમાં ગુરૂ. રાહુ સૂર્ય છે. બીજા સ્થાને ચન્દ્ર અને બુધ છે. ત્રીજું સ્થાન ખાલી છે. જેથે મંગળ છે. પાંચમું સ્થાન ખાલી છે. છઠું ખાલી છે. સાતમે કેતું છે. આઠમું સ્થાન ખાલી છે. નવમે શનિ છે. દશ અને અગ્યારમા સ્થાન ખાલી છે, બારમે મીનનો શુક્ર છે. જન્મ લગ્નથી નવમે શનિ છે. ચન્દ્ર લગ્નથી નવમા સ્થાનને અધિપતિ શનિ છે અને જન્મલગ્નથી દશમાં સ્થાનમાં ધનને શનિ છે. આમ આ કુંડળીમાં બધી બાજુથી શનિનું મહત્તવ વધી જાય છે. માટે આવી કુંડળી વાળા ભાઈઓને ભાગ્યદય ૨૬ મા વર્ષે શરૂ થયેલો અને ૩૫મા વર્ષથી તેઓનું જીવન વધારે વ્યવસ્થિત થવા માંહુ. (૨) બીજા ભાઈનું કન્યા લગ્ન છે. પ્રથમ ભુવનમાં કન્યાને ગુરૂ છે. પાંચમા સ્થાનમાં મકરનો ચન્દ્રમાં છે, રાહુ છે. છઠે શનિ છે, આઠમે શુક, હર્ષલ છે. નવમા સ્થાનમાં સૂર્ય-મંગળની યુતિ છે, દશમે બુધ છે. અગ્યારમે કેતુ છે. આ ભાઇની જન્મ-કુંડળીમાં નવમા સ્થાનમાં સૂર્ય-મંગળ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy