SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ (૪) અતિથિસ વિભાગ –સાધુઓને તથા અન્ય ધર્માત્મા પાને ભક્તિપૂર્વક અને દુખિત ભૂખ્યાને કરુણાપૂર્વકદાન દઈ આહાર કરાવો તે અતિથિ સંવિભાગ શિક્ષાવત છે. આવી રીતે શ્રાવકે પાંચ અણુવ્રત અને સાત શીલવત એમ બાર વ્રત પાળવા જોઈએ અને તેરમા વ્રતની ભાવના ભાવવી જોઈએ તે નીચે જણાવ્યા પ્રમાણે છે. સલ્લેખના–મરણ સમયે આત્મસમાધિ અને શાંતભાવસહિત પ્રાણ છૂટે એવી ભાવના કરવી તે સલ્લેખના કે સમાધિમરણ વ્રત છે. જ્ઞાની શ્રાવક પોતાના ધર્માત્મા મિત્રોનું વચન લઈ લે છે કે પરસ્પર સમાધિમરણ કરાવવું. આ તેર તેને દેવરહિત પાળવા માટે તેના પાંચ પાંચ અતિચાર પ્રસિદ્ધ છે. તેને દૂર કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે. (૧) અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર-(૧) બંધકષાયપૂર્વક કેઈને બાંધે કે બંધનમાં નાંખવો, ૨) વધ-કપાયથી કેઈને મારવે, ઘાયલ કર, (૩) છેદ-કપાયથી કરી ઈનાં અંગ કે ઉપાંગ છેદી સ્વાર્થ સાધ, (૪) અતિભારાપણુ-હદ ઉપરાંત ભાર ભર, (૫) અનપાન નિષેધ–પિતાને આધીન મનુષ્ય કે પશુએનાં ખાનપાન રેકી દેવાં. ૨) સત્ય અણુવ્રતનાં પાંચ અતિચાર:-(૧) મિથ્યા ઉપદેશ–બીજાને મિથ્યા કહેવાનો ઉપદેશ દઈ દે, (૨) રહે.ભ્યા ખ્યાન-સ્ત્રી પુરુષની એકાંત ગુપ્ત વાતને પ્રગટ કરી દેવી, (૩) ફુટ લેખક્રિયા-કપટથી અસત્ય લેખ લખવા, (૪) ન્યાસાપહાર-બીજાની થાપણને જૂઠું બોલી ઓળવવી, પાછું કાંઈ આપવું નહિ, (૫) સાકારમંત્રભેદ-ઈના ગુપ્ત અભિપ્રાયને અગાના હલનચલનથી જાણું લઈ પ્રગટ કરી દેવો આ બધામાં કષાયભાવ હેતુરૂપ છે. ૩) અચૌય અણુવ્રતના પાંચ અતિચાર:-(૧) સ્તનપ્રયોગ-બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવા, (૨) તદાહતાદાન
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy