SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૭ " મનનું સૂરણ જ થઈ જાય છે. અથવા લાપ જ થઈ જાય છે, અથવા તેના અસ્ત થઈ જાય છે, મન વચન કાયાના વિકારેની વચમાં પહેલે નિર્વિકાર આત્મા આત્મારૂપે ઝળકી નીકળે છે, સવ" વિકાર મટી જાય છે. સમ્યચારિત્ર ભારે ઉપકારી છે. તેને અભ્યાસ વીતરાગ— વિજ્ઞાનમય ભાવની ઉન્નતિ કરે છે અને સરાગ અજ્ઞાનમય ભાવને દૂર કરે છે. આ વાત સાર્ક બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી આત્માનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્ચારિત્રના ઉદય થયા નથી. જેવી રીતે વેપારીને દરેક વેપાર કરતાં ધનની આવક ઉપર લક્ષ છે, કુટુંબની અદર પરિશ્રમ કરતાં, મકાનમાં અન્નાદિ સામગ્રી એકત્ર કરતાં, વાસણ આદિ અને લાકડાં એકઠાં કરતાં, રસાઈની તૈયારી કરતાં સર્વેના એવા લક્ષ રહે છે કે અમારા બધાની ક્ષુધા મટે, તેવી રીતે સાધકના લક્ષ સ્વાત્માનુભવ રહેવા જોઈએ. સમ્યકૂચારિત્રના જે કંઈ અંશ છે તે એક અપૂર્વ આત્મિક ભાવના ઝળકાવ છે, તેમાં સëગ્દર્શન અને સમ્યગ્દાન પણ સમાવેશ પામે છે. વસ્તુતાએ ઉપયાગરૂપ કે ભાવ નિક્ષેપરૂપ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન ત્યાં જ હોય છે કે જ્યાં સમ્યક્ચારિત્ર છે. જ્યારે સ્વાતુભવમાં એકાગ્રતા થાય છે ત્યારે ત્યાં સમ્યગ્દર્શન, સજ્ગ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ ત્રણેની એકતા છે. તે જ મેાક્ષમા છે. તે જ કનિ સંવર કરવાના ઉપાય છે, તે જ ધ્યાનરૂપી અગ્નિ છે કે જે પૂર્વે બાંધેલાં મેનેિ ખાળી ભસ્મ કરે છે, જેમ અગ્નિની જ્વાળા બળતી હાય તેવા કાઈ ચૂલામાં તે એક સાથે દાહક, પાચક, પ્રકાશનું કામ કરી રહી છે. તેવી રીતે સ્વાત્માનુભવની જ્યેાતિ દેદીપ્યમાન થતાં સમ્યગ્દર્શન, સગ્મગ્નાન અને સમ્યક્ચારિત્રમય પરિણમન કરતી પેાતાનુ કામ કરી રહી છે. ૩૭
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy