SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ કાંઈ પણ નહિ. એટલા માટે સદાય મારો ઉત્કૃષ્ટ સ્વભાવ મારામાં પ્રકાશમાન રહે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદાય એકાકાર શુદ્ધ અનુભવમાં આવે છે, ત્યાં બંધ કે મેક્ષના વિચારની કઈ જગા નથી. (૨૪) શ્રી અમિતગતિ મહારાજ તત્વભાવનામાં કહે છે – येषां ज्ञानकृशानुरुज्ज्वलतरः सम्यक्त्ववातेरितो । विस्पष्टीकृतसर्वतत्त्वसमितिर्दग्धे विपापैधसि ॥ दन्तोत्तप्तिमनस्तमस्ततिहतेर्दैदीप्यते सर्वदा । नाश्चर्य रचयंति चित्रचरिताश्चारित्रिणः कस्य ते ॥ ९५ ॥ • જેની અંદર સમ્યગ્દર્શનરૂપ પવનથી પ્રેરિત સમ્યજ્ઞાનરૂપી અગ્નિની તીવ્ર વાળા સર્વ તને સ્પષ્ટ દેખાડતી, પાપરૂપી ઇંધનને બાળતી, મનમાં પ્રસરેલા અંધકારને દૂર કરતી, સદાય પ્રજવલિત છે તે નાના પ્રકારના ચારિત્રનું પાલન કરે છે. તેને દેખીને કેને આશ્ચર્ય ન થાય? અર્થાત તે અદ્ભુત ચારિત્રનું પાલન કરે છે. । ये लोकोत्तरतां च दर्शनपरी दूती विमुक्तिश्रिये । रोचन्ते जिनभारतीमनुपमा जल्पति शृण्वंति च ॥ लोके भूरिकषायदोपमलिने ते सजना दुर्लभाः । કુતિ તવર્ચસુરમયોપાં મિત્રોને મે ૨૦૧ પરમાર્થ સ્વરૂપને બતાવનારી, ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શનને દેનારી, મેક્ષરપી લક્ષ્મીની દૂતી સમાન અનુપમ જિનવાણુને જે કઈ ભણે છે, સુણે છે કે તે ઉપર રુચિ કરે છે એવા સજજને કષાયરૂપદેષથી મલિન એવા આ લેકમાં દુર્લભ છે -કનિતાથી મળે છે, તે પછી તે જિનવાણુને અનુસાર આચરણ કરવાની ઉત્તમ બુદ્ધિ કરે છે તેવાનું તે કહેવું જ શું? તેવા તો મહા દુર્લભ છે. આવી ! પરોપકારી જિનવાણીને સમજીને તે અનુસાર યથાશક્તિ ચાલવું એ આપણું કર્તવ્ય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy