SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ તે ભાવના એવી રાખે છે કે આ સરાગતા ક્યારે મટે અને હું વીતરાગ થઈ જાઉ તત્વજ્ઞાની સમ્યફવીનું, હું નિશ્ચયથી પરમાત્માવત શુદ્ધ નિર્વિકાર જ્ઞાતાદષ્ટા છું, એવું જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખસાધન છે. એ આત્મજ્ઞાનને જ નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે, તેને જિનવાણીને સારા ભાવથુતજ્ઞાન કહે છે, એ આત્મજ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે, સ્વાનુભવ કહે છે, કે આત્મધ્યાન કહે છે. ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માને અનુભવ બીજના ચંદ્રમા તુલ્ય છે. તે જ અભ્યાસના બળથી વધતો વધતે પૂર્ણ ચંદ્રમરૂપ કેવલજ્ઞાન થઈ જાય છે. જે રત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સમ્માન છે. આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વ્યકૃત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તવ અને નવ પદાર્થોનું જ્ઞાન આવશ્યક છે, તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કર બહુ અગત્યનું છે. આ શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્યજ્ઞાન કહે છે. વ્યવહાર સભ્યજ્ઞાન–જિનવાણમાં અનેક શાસ્ત્રોને સંગ્રહ છે. ચાર અનુયોગોમાં તે વહેચાયેલ છે, જેને ચાર વેદ પણ કહેવાય છે. પ્રથમાનુયોગ:–પ્રથમ અવસ્થામાં અલ્પ જ્ઞાનવાળા શિષ્યોને તત્ત્વજ્ઞાનની રુચિ કરાવવા જે સમર્થ થાય તેને પ્રથમાનુયોગ કહે છે. તેમાં જે મહાન પુરુષ અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં જીવનચરિત્ર હોય છે. જેને પાપ કરવાથી ઘણાં દુખની પ્રાપ્તિ થઈ હોય અને પુણ્ય કરવાથી સુખ સાતાકારી સાધનની પ્રાપ્તિ થઈ હોય એવાં ચરિત્રોનું પણ તેમાં કથન હોય છે. આ પ્રકારનાં વર્ણને વાંચવાથી, બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે આપણે પણ ધર્મનાં સાધનો કરીને આપણે આત્મહિત સાધવું યોગ્ય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy