SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ શ્રી સર ભગવાન ભવ્ય જીવને કહે છે, હે! ભવ્ય, તું મેહનાં બંધને શીદ્યમેવ તેડી નાખ, સમૃત્વરૂપ તારે પોતાનો સ્વભાવ છે તેને ગ્રહણ કર, અને શુદ્ધ આત્માના અનુભવમાં રમણ કર. આ જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, શરીરાદિ કર્મ, રાગદેવાદિ ભાવકર્મએ તે પુદ્ગલને સમૂહ છે તેથી તેમની સાથે તારો મેળ શી રીતે થાય? તારે અને એને સબંધ નથી. એ તો જડ છે અને પ્રગટ એટલે રૂપી છે, તું તે ચેતન્યમય છે અને ગુપ્ત એટલે અરૂપી છે. જેમ પાણી અને તેલ એ બંને ભિન્ન છે તેમ આત્મા અને જડ એ બને ભિન્ન છે એમ જાણ. સયા-૩૧, ધર્મમેં ન સશે શુભક ફલકી ન છા, અશુભ દેખિ ન ગિલાનિ અને ચિત્તમેં સાચી દષ્ટિ રાખે કાહૂ પ્રાણ ન દેવ ભાખે. ચંચલતા ભાનિ ચિતિ ટાણે બોધ ચિત્તમેં; પ્યાર નિજરૂપસ ઉછાહકી તરંગ ઉકે, એહ આઠ અંગ જબ જાગે સમકિતમેં, તાહિ સમકિતકે ધરે સો સમકિતવંત, વેહિ મોક્ષ પાવે છે ન આવે કિર ઇતમેં પ૯ અ, ૭ (૧) ધર્મમાં શંકા ન કરવી તે નિશકિત અંગ, (ર) શુભકિયા કરી તેના ફળની ઈચ્છા ન કરવી તે નિકાંક્ષિત અંગ, (૩) અશુભ વસ્તુ દેખી ચિત્તમાં ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા અંગ (૪)મઢપણું ત્યાગી સત્યવસ્તુમા પ્રીતિ રાખવી તે અમઢષ્ટિ અંગ, (૫) સાધમી જીવોના દેષ પ્રસિદ્ધ ન કરવા તે ઉપગૃહન અંગ, (૬)ચંચળતા ત્યાગી જ્ઞાનમાં સ્થિરતા રાખવી તે સ્થિતિકરણ અંગ, (૭). સાધમી ઉપર તથા આત્મસ્વરૂપમાં પ્રેમ રાખ વાત્સલય અંગ, (૮) જ્ઞાનની પ્રસિદ્ધિમાં તથા આત્મસ્વરૂપનાં સાધનમાં ઉત્સાહના
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy