SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ સમ્યકત્વી એવી ભાવના ભાવે છે કે હે પ્રભુ! હું જીવ અને અજીવ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આ ને રોકતા રહું, નિરંતર સંવર અને નિર્જર કરતો રહું, મુક્તિરૂપી લક્ષ્મીની આકાંક્ષા રાખતો રહું તથા શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એ અનુભવ કરતે રહું. આવી રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારે જીવનકાલ વ્યતીત થાઓ, नरकगतिमशुद्धैः सुंदरैः स्वर्गवास शिवपदमनवधं याति शुद्धैरकर्मा । स्फुटमिह परिणामैश्चेतनः पोष्यमाणे નિતિ શિવાજો વિધેયા વિરુદ્ધ: ૭૮ છે. અશુભ ભાવથી નરગતિ થાય છે, શુભ ભાવથી સ્વર્ગવાસ થાય છે અને કર્મ રહિત આ જીવ શુદ્ધ ભાડે પ્રશંસનીય શિવપદને પ્રાપ્ત કરે છે એ વાત પ્રગટ છે, તે જે મોક્ષપદની આકાંક્ષા રાખતા હેય તેમણે ચૈતન્યને પોષણ મળે તેવાં પરિણામો દ્વારા શુદ્ધ ભાવો રાખવા જોઈએ. શુભ અને અશુભ ભાવેથી વિરક્ત થવું ઉચિત છે. यो बाह्याथ तपसि यतते वाह्यमापद्यतेऽसौ ।। यस्त्वात्मार्थ लघु स लभसे पूतमात्मानमेव ॥ न प्राप्यते क्वचन कलमाः कोद्रवै रोप्यमाणैविज्ञायेत्थं कुशलमतयः कुर्वते स्वार्थमेव ।। ८४ ॥ જે કાઈ બાહ્ય ઇન્દ્રિય ભેગોને માટે તપ કરે છે તે બાહ્ય પદાર્થોને પામે છે. જે કાઈ આત્માના વિકાસને માટે તપ કરે છે તે શીઘ પવિત્ર આત્માને પામે છે. કેદરા વાવે તેને કદાપિ ડાંગર પ્રાપ્ત થતી નથી એવું જાણીને પ્રવીણ બુદ્ધિવાળાઓએ આત્માના હિતમાં જ ઉદ્યમ કર ચોગ્ય છે भवति भविनः सौख्यं दुःखं पुराकृतकर्मणः । स्फुरति हृदये रागो द्वेष: कदाचन मे कथम् ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy