SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૦૦ સ્વભાવને ઉપેક્ષાભાવ રાખે છે. જગતમાત્રનાં પ્રાણીઓના હિતેથી ' સમ્યક્ત્વી હોય છે. તે લાભમાં હર્ષ અને હાનિમા શેક કરતા નથી. ગુણસ્થાનને અનુસાર કષાયના ઉદયથી કવચિત થઈ જાય તે પણ તે અજ્ઞાની મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બહુ જ અલ્પ હોય છે. સમ્યફવી સદા નિરાકુલ રહેવાનું ચાહે છે. તે એવું દેવું કર નથી કે જે તે સુગમતાથી ચૂકવી ન શકે. પુત્રાદિના વિવાહમાં તે આવકને દેખીને ખર્ચ કરે છે. અનાવશ્યક ખર્ચ રોકે છે, ઘણુ કરીને સમ્યફી જીવ આવકના ચાર ભાગ કરે છે. એક ભાગ નિત્ય ખર્ચમાં, એક ભાગ વિશેષ ખર્ચ માટે, એક ભાગ એકઠા કરવા માટે, અને એક ભાગ દાનને માટે અલગ રાખે છે. જે દાનમાં ચોથા ભાગ કાઢી ન શકે તે મધ્યમ શ્રેણિમાં છો કે આઠમે ભાગ તથા જઘન્ય શ્રેણિમાં દશમે ભાગ તે અવશ્ય કાઢે છે અને તેને આહાર, ઔષધિ, અભય તથા શાસ્ત્રદાનમાં ખચે છે. સમ્યફી વિવેકી, વિચારવાની હેય છે. કોઈપણ અન્યાય કે જુલમ કરતા નથી. બીજે કઈ અન્યાય કરે તે તેને સમજાવે છે; જે તે ન માને તે તેને શિક્ષા દઈને ઠીક કરે છે. વિધીને યુદ્ધ કરીને પણ સીધા માર્ગ ઉપર લાવે છે. અવિરત સમ્યકત્વી આરંભી હિંસાના ત્યાગી હેતા નથી. જો કે સમ્યવી સંકલ્પી હિંસાના પણ નિયમથી ત્યાગી દેતા નથી તો પણ તે દયાવાન હોય છે તેથી વૃથા એક તૃણ માત્રને પણ કષ્ટ દેતા નથી. સમ્યકત્વીનાં આઠ અંગ–જેમ શરીરનાં આઠ અંગ હોય છે. મસ્તક, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એક કમર, જે તેને જુદાં જુદાં કરી દેવામાં આવે તે શરીર રહે નહિ, તેવી રીતે સમ્યફવીને આઠ અંગ હોય છે. જે તે ન હોય તે તે સમ્યફી હેઈ શકતો નથી. નિશંકિત અંગ જે તવેની શ્રદ્ધા કરીને સમ્યક્તી થયા છે તે ઉપર કદી શંકા લાવતા નથી. જે જાણવાગ્ય વાત સમજમાં
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy