SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ તિસારપાંચ અક્ષરી શકુંત –ચાર અક્ષરી સિદ્ધ, , સોહેં–બે અક્ષરી –એક અક્ષરી જે સમયે સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે ત્યારે જાણે સૂર્યના કિરણને પ્રકાશ થાય છે; સર્વ અજ્ઞાન અને મિથ્યાત્વનું અંધારું અને અન્યાય ચારિત્રને અભિપ્રાય નાસી જાય છે. સમ્યગ્દર્શનના પ્રગટવાથી રત્નત્રય પ્રગટ થાય છે. જ્ઞાન સમ્યજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થઈ જાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદશા થાય છે, તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનન્દને લાભ થાય છે તે સહજસુખને બંધ થતાં જ સારી રીતે અનુભવ થતાંજ ઈન્દ્રિયસુખ તુચ્છ છે એવી પ્રતીતિ દૃઢ થાય છે. સમ્યફ થતાં જ તે સંસારની તરફ પીઠ દઈ દે છે અને મેક્ષની સન્મુખ થઈ જાય છે. ત્યાર પછીની સમ્યફવીની સર્વ ક્રિયાઓ એવી હોય છે કે જે આત્મોન્નતિમાં બાધક હેતી નથી. તે પિતાના આત્માને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મરૂપ વીતરાગી જ્ઞાતા દષ્ટા અનુભવ કરે છે. સર્વ મન, વચન, કાયાની ક્રિયાને કર્મ પુગલજનિત જાણે છે. જો કે તે વ્યવહારમાં યથાગ્ય પોતાની પદવીને અનુસાર ધર્મ, અર્થ કામ તથા મેક્ષ પુરુષાર્થોની સિદ્ધિ કરે છે તથાપિ તે એમ જાણે છે કે આ સર્વ વ્યવહાર આત્માને સ્વભાવ નથી, કર્મનું નાટક છે. મન, વચન, કાયાની ગુપ્તિ નહિ રહેવાથી સ્વાનુભવમાં સદા રમણ ન થવાથી, કરવું પડે છે. તે સમ્યકત્વી વ્યવહાર ચારિત્રને પણ ત્યાગવા યોગ્ય વિકલ્પ જાણે છે. જોકે તેને મનને રોકવા માટે વ્યવહાર ચારિત્રનું શરણુ લેવું પડે છે તે પણ તે તેને ત્યાગવા ગ્ય જ સમજે છે. જેમ ઉપર જવા માટે નિસરણુંની જરૂર પડે છે પરંતુ ચઢવાવાળો સીડીથી કામ લેતાં છતાં સીડીને ત્યાગવા ગ્ય જ સમજે છે અને જ્યારે પહોંચી જાય છે ત્યારે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy