SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ સંશય સુતત્વ અને કુતર્વને નિર્ણય ન કરો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરો તે સંશય મિથ્યાત્વ છે. કેઈએ કહ્યું રાગદેપ છવના છે. કેઈએ કહ્યું પુદગલના છે, બંનેમાં યથાર્થ કેણ છે તેને સંશય રાખવો તે સંશય મિથ્યાત્વ છે. વિપરીતઃ—જેમાં ધર્મ હૈઈ શકતો નથી તેને ધર્મ માની લે તે વિપરીત મિથ્યાત્વ છે, જેમ પશુયજ્ઞ કરે તેમાં ધર્મ માની લે. (૨) અવિરતિ ભાવ:–તેના બાર ભેદ છે, અને પાંચ ભેદ પણ છે. પાંચ ઇન્દ્રિય અને મનને વશ ન રાખવું, તેના દાસ થઈ રહેવું, તથા પૃથ્વી આદિ છકાય છની રક્ષાના ભાવ ન કરવા એમ બાર પ્રકારના અવિરત ભાવ છે. અથવા હિંસા, અસત્ય, ચોરી કુશલ અને પરિગ્રહ મૂછ એ પાંચ પાપ અવિરતિ ભાવ છે. (૩) પ્રમાદ–આત્માનુભવમાં ધર્મધ્યાનમાં આળસ કરવી તે પ્રમાદ છે, એના ૮૦ ભેદ છે. ચાર વિકથા ચાર કષાયપાંચ ઈન્દ્રિય સ્નેહ નિદ્રા ૮૦ ચાર વિકથા –સ્ત્રીથા, ભેજનકથા, દશકથા, રાજકથા. રાગ વધારે તેવી સ્ત્રીઓના રૂપ, સૌન્દર્ય હાવભાવ, વિશ્વમ, સાગ, વિયાગની ચર્ચા કરવી તે સ્ત્રીવિકથા છે. રાગ વધારનારી, ભેજનેની સરસનીરસ ખાવાપીવાની કે ચવાણું આદિની ચર્ચા કરવી તે ભેજને વિકથા છે. દેશમાં લૂંટફાટ, મારપીટ, જુગાર, ચેરી, વ્યભિચાર કે નગરાદિની સુંદરતા સંબંધી રાગદ્વેષ વધારનારી કથા કરવી તે દેશ વિકથા છે. રાજાઓના રૂપની, રાણીઓની વિભૂતિની, સેનાની, નેકર, ચાકરાદિની રાગ વધારનારી કથા કરવી તે રાજ વિકથા છે. દરેક પ્રમાદભાવમાં એક વિકથા, એક કષાય, એક ઈનિક, એક સ્નેહ અને એક નિદ્રાને ઉદય સંબંધ થાય છે, એટલા માટે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy